મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત


SHARE







મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં મેયર સહિતના મુખ્ય પાંચ હોદા ઉપર હોદેદારોની વરણી કરવામાં આવેલ છે અને તેમાં દલવાડી સમાજના એક પણ ચૂંટાયેલા આગેવાનને સ્થાન આપવામાં આવ્યું નથી જેથી કરીને નારાજ થઈને દલવાડી સમાજના મહાપાલિકાના ચૂંટાયેલા 8 કોર્પોરેટરો  મોરબી જિલ્લા ભાજપની મીટીંગમાં ગેરહાજર રહ્યા હતા અને ત્યાર બાદ જીલ્લા પ્રમુખને આવેદનપત્ર આપીને આગામી સમયમાં મહાપાલિકાની એક પણ કમિટીમાં પદ નહીં સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોએ ઇન્કાર કર્યો છે.

મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો ચૂંટાયેલ હતા જેમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરો ચૂંટાયેલા હતા જો કે, તાજેતરમાં મહાપાલિકાના મેયર સહિતના જે મુખ્ય પાંચ હોદા છે તેના ઉપર ભાજપ દ્વારા જેમના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરો ચૂંટાયેલા હતા તે પાલિકના એકપણ આગેવાનનો સમાવેશ કરવામાં આવેલ નથી જેથી કરીને દલવાડી સમાજના કોર્પોરેટરો દ્વારા મોરબી કમલમ ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને રૂબરૂને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જયા સુધી દલવાડી સમાજને યોગ્ય ન્યાય કે પ્રતિનિધિત્વ મળશે નહીં ત્યાં સુધી દલવાડી સમાજના કોર્પોરેટરો દ્વારા એક પણ સમિતિમાં સભ્ય કે ચેરમેન તરીકેનો હોદો સ્વીકારવામાં આવશે નહીં. જોકે સુત્રોના કહેવા મુજબ જિલ્લા પ્રમુખે દલવાડી સમાજના કોર્પોરેટરોની લાગણીને ધ્યાને લીધી ન હતી અને દર વખતે દરેકને બધું મળે તે જરૂરી નથી આવો જવાબ આપી દીધો હતો. જેથી દલવાડી સમાજના કોર્પોરેટરો રોષે ભરાયા હતા. આ રજૂઆત કરવાં આવી હતી ત્યારે વોર્ડ નં 1 ના વિણાબેન માવજીભાઈ કંઝારીયા, વોર્ડ નં 7 ના જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, વોર્ડ નં 10 ના અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા, વોર્ડ નં 11 ના ભારતીબેન યુનીલાલ પરમાર, વોર્ડ નં 13 ના જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા અને રાજેશભાઇ કાનજીભાઈ ડાભી હાજર રહ્યા હતા. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, દલવાડી સમાજના મહાપાલિકાના કોર્પોરેટરો તેઓની રજૂઆત કરવા માટે આવ્યા હતા તે બાબતે હવે પક્ષ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.






Latest News