હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર


SHARE





મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર

મોરબીમાં આવેલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની શૈક્ષણિક સુવાસ દૂર સુદૂર ફેલાયેલી હોય, શાળા અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમતી હોય, શાળામાં 425 જેટલી વિદ્યાર્થીનીઓની સંખ્યા હોય, ઘણી બધી વિદ્યાર્થીનીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જતી હોય માધાપરવાડી વિસ્તારના ગ્રામજનો, આગેવાનો દ્વારા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરતાં બંને મહાનુભાવોના સંયુક્ત પ્રયાસોથી માધાપરવાડી વિસ્તારમાં માધ્યમિક શાળા મંજુર કરવામાં આવેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપરવાડીની સાથે સાથે વજેપરવાડી વિસ્તાર અને પીપળી ગામમાં પણ માધ્યમિક શાળાને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી મળેલ છે, માધ્યમિક શાળા મંજૂર થતા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનોએ કાંતિભાઈ અમૃતીયા અને દુર્લભજીભાઈ દેથરીયા આ બંને મહાનુભાવો, બંને શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને રીવાબા જાડેજા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં HDFC બેંકના આર્થિક યોગદાનથી યુવા અન્સ્ટોપેબલ દ્વારા શાળામાં બે નવા રૂમ બનાવી આપશે, સ્ટેમ લેબ, પુસ્તકાલય, શિક્ષકો માટે જરૂરી ખુરશી, ટેબલ, કબાટ, જીમ, વૃક્ષારોપણ, સોલાર રૂફ, અભ્યાસક્રમમાં આવતા શૈક્ષણિક ચિત્રો દિવાલ પર દોરવા, 20 કમ્યુટર, વિદ્યાર્થીઓ ચાર મોટા જમ્બો એલ.સી.ડી. વગેરે આપવામાં આવશે જે પૈકી હાલ શાળામાં વૃક્ષારોપણ થઈ ગયું છે. 20 કમ્યુટર અને ચાર એલ.સી.ડી. આવી ગયા છે, આમ પીએમશ્રી માધાપરવાડીમાં માધ્યમિક શાળાની મંજુરી અને દાતા દ્વારા શાળા માટે લાખો રૂપિયાની ભૌતિક સુવિધાઓ મળતા સોનાનો સૂરજ ઉગ્યો છે. 




Latest News