માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ


SHARE











ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા આજે શનાળા રોડ સ્થિત ભાડેસિયા હોસ્પિટલ તથા OMVVIM કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને કેન્દ્રમાં રાખી આયોજિત રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નાગરિકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.

શૈક્ષણિક ખર્ચમાં રાહત મળે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા A4 સાઇઝની ઉચ્ચ ગુણવત્તાવાળી 172 પેજની ફૂલસ્કેપ નોટબુકો રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બજાર કિંમતની સરખામણીએ ખૂબ જ ઓછા દરે નોટબુકો મળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજક હિંમતભાઈ મારવણીયા, શાખા કન્વીનર (સેવા) રાજુભાઈ ડાંગર સહિત પરિષદના તમામ સભ્યો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ.ચિરાગભાઈ અઘારા, ડૉ. જયેશભાઈ પનારા, વિનુભાઈ મકવાણા, રાજેશભાઈ ડાંગર, મનહરભાઈ કુંડારીયા, પંકજભાઈ ફેફર, ગોપાલભાઈ મૂછડિયા, ચિરાગભાઈ વડસોલા, હરેશભાઈ બોપલીયા, પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, રતિલાલભાઈ ચંદ્રાલા, હરદાસભાઈ જાકાસણીયા તથા વ્રત અઘારા દ્વારા વિશેષ સહયોગ અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ સાથે સભ્ય તરીકે જોડાવા માટે અપીલ કરવામાં આવે છે. પરિષદમાં સભ્યપદ મેળવવા તથા વધુ માહિતી માટે મો. 99744 58658 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે






Latest News