મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત


SHARE







વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા રાજકોટના મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત

મોરબી જિલ્લામાં બે જુદા-જુદા બનાવમાં ડૂબી જવાથી મહિલા તેમજ યુવાનના મોત નિપજેલ છે.જેમાં વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલ હોલ માતાના મઢ પાસે દર્શને ગયા બાદ ત્યાં આવેલ મચ્છુ નદીમાં નાહવા ગયેલ રાજકોટના મહિલાનું ડૂબી જવાથી મોત થયેલ છે.જ્યારે મોરબી તાલુકાના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે કુદરતી હાજત માટે પાણી લેવા જતા સમયે કૂવામાં પડી જતા આદિવાસી મજૂર યુવાનનું મોત થયેલ હોય હાલ પોલીસે બનાવોની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ હોલ માતાના મંદીર પાસે આવેલ મચ્છુ નદીમા નાહવા ગયેલા કિંજલબેન કેવલકુમાર ધીરૂભાઇ નાદપરા પટેલ (ઉ.વ.૨૪) ઘરકામ રહે. રાજકોટ, ૧૫૦ ફીટ રીંગ રોડ, યુનિકના ટાંકા પાસે તા.જી.રાજકોટનું ડુબી જતા મોત થયેલ છે.તેઓ જાલસીકા ગામ પાસે આવેલ હોલ માતાના મંદીરે દર્શન કરવા આવેલ હોય અને બાજુમા આવેલ મચ્છુ નદીમા નાહવા જતા પાણીમા ડુબી જવાથી મોત થયેલ છે.

જયારે મોરબીના નીચી માંડલ નેકોન સીરામીકની બાજુમાં રાજુભાઇ કુંડારીયા ખેતરમા કુવામાં જુબી જવાથી યુવાનનું મોત થયેલ છે.જેમાં મેહુલભાઇ ચીમનભાઇ રાઠવા (૧૭) હાલ રહે.નીચી માંડલ, નોકેન સીરામીક હળવદ-મોરબી રોડ મુળ રહે.વાવડી ગામ પુજારા ફળીયુ જી.વડોદરાનું ડુબી જતા મોત થયેલ છે.જેમાં મરણ જનાર મેહુલભાઇ ચીમનભાઇ રાઠવા (ઉ.વ.૧૭) સવારના સાતેક વાગ્યાની આસપાસ રાજુભાઇ કુંડારીયાની વાડીમાં કુદરતી હાજતે જવા માટે કુવામાંથી પાણી ભરવા જતાં પગ લપશી જતાં કુવામાં પડી ગયો હતો જેથી ડુબી જવાથી તેનું પણ મોત નિપજયુ હતુ

#morbi #મોરબી

 






Latest News