ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત


SHARE











વાંકાનેરના જાલસીકા હોલ માતાના મંદીર પાસે નદીમાં ડુબી જતા રાજકોટના મહિલા તેમજ મોરબી નીચી માંડલ ગામે કુવામાં પડી જતા યુવાનનુ મોત

મોરબી જિલ્લામાં બે જુદા-જુદા બનાવમાં ડૂબી જવાથી મહિલા તેમજ યુવાનના મોત નિપજેલ છે.જેમાં વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલ હોલ માતાના મઢ પાસે દર્શને ગયા બાદ ત્યાં આવેલ મચ્છુ નદીમાં નાહવા ગયેલ રાજકોટના મહિલાનું ડૂબી જવાથી મોત થયેલ છે.જ્યારે મોરબી તાલુકાના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે કુદરતી હાજત માટે પાણી લેવા જતા સમયે કૂવામાં પડી જતા આદિવાસી મજૂર યુવાનનું મોત થયેલ હોય હાલ પોલીસે બનાવોની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ હોલ માતાના મંદીર પાસે આવેલ મચ્છુ નદીમા નાહવા ગયેલા કિંજલબેન કેવલકુમાર ધીરૂભાઇ નાદપરા પટેલ (ઉ.વ.૨૪) ઘરકામ રહે. રાજકોટ, ૧૫૦ ફીટ રીંગ રોડ, યુનિકના ટાંકા પાસે તા.જી.રાજકોટનું ડુબી જતા મોત થયેલ છે.તેઓ જાલસીકા ગામ પાસે આવેલ હોલ માતાના મંદીરે દર્શન કરવા આવેલ હોય અને બાજુમા આવેલ મચ્છુ નદીમા નાહવા જતા પાણીમા ડુબી જવાથી મોત થયેલ છે.

જયારે મોરબીના નીચી માંડલ નેકોન સીરામીકની બાજુમાં રાજુભાઇ કુંડારીયા ખેતરમા કુવામાં જુબી જવાથી યુવાનનું મોત થયેલ છે.જેમાં મેહુલભાઇ ચીમનભાઇ રાઠવા (૧૭) હાલ રહે.નીચી માંડલ, નોકેન સીરામીક હળવદ-મોરબી રોડ મુળ રહે.વાવડી ગામ પુજારા ફળીયુ જી.વડોદરાનું ડુબી જતા મોત થયેલ છે.જેમાં મરણ જનાર મેહુલભાઇ ચીમનભાઇ રાઠવા (ઉ.વ.૧૭) સવારના સાતેક વાગ્યાની આસપાસ રાજુભાઇ કુંડારીયાની વાડીમાં કુદરતી હાજતે જવા માટે કુવામાંથી પાણી ભરવા જતાં પગ લપશી જતાં કુવામાં પડી ગયો હતો જેથી ડુબી જવાથી તેનું પણ મોત નિપજયુ હતુ

#morbi #મોરબી

 






Latest News