માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો મોરબી ABVP દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઊજવણી કરાઇ મોરબી માધાપરવાડી કન્યા શાળામાં માધ્યમિક શાળાનો શુભારંભ મોરબીની પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રભાઇ પટેલને વિદાય-સન્માન મોરબીના શનાળા ગામે સરકારની સિદ્ધિઓનું ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું મોરબીમાં ૨૦ જૂને ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન: યુવાનો માટે રોજગારીની તક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના: મોરબીમાં 23.33 કરોડના ખર્ચે બનેલ બેલા-ભરતનગર  રોડથી સિરામિક ઉદ્યોગને મળ્યો વેગ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૦ જૂને ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન: યુવાનો માટે રોજગારીની તક


SHARE











મોરબીમાં ૨૦ જૂને ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન: યુવાનો માટે રોજગારીની તક

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નજરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.

આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે. તેવું મોરબી રોજગાર અધિકારી મનીષા સાવનિયાએ જણાવ્યુ છે.






Latest News