મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ
SHARE
મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણની પેઢીઓ ચેકિંગ કર્યું હતું અને કેટલીક જગ્યાએથી તેલના નમૂના લઈને સ્થળ પર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રવાપર રોડ પર આવેલા ફરસાણની ૨૦ પેઢીમાં તપાસ કરીને તેલના નમૂનાનું TPC મશીનથી ચકાસણી કરવામાં આવી હતી જેમાં તેલના નમુનામાં ૨૫ TPC COUNT થી વધુ કાઉન્ટ આવેલ હતા તે તમામ તેલના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તદઉપરાંત ફરસાણની પેઢીમાં મળેલ છાપેલ ન્યુસ પેપરનો આશરે 5 કિલો જથ્થો ફૂડ સેફ્ટિ ઇન્સ્પેક્ટર દ્વારા નાશ કરવામાં આવેલ છે. આ સાથે ખાણી પીણીના વેપારિયોને ફૂડ શાખા દ્વારા તાકીદ કરવામાં આવી છે કે, આ ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં વધુ કડક રીતે કરવામાં આવશે. ઉલેખનીય છે કે, લાઈટ નાસ્તા હાઉસમાંથી આશરે 2 કિલો અખાદ્ય ચટણીનો નાશ કરાયો હતો અને નેપોપ ચાઈનીસમાંથી આશરે 5 કિલો આખાદ્ય ચટણી તથા ફૂડ કલરનો નાશ કરાયો છે તેવી માહિતી મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટિ ઇન્સ્પેક્ટર પાસેથી જાણવા મળી છે