મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ


SHARE











મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ 

મોરબીમા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બિરદાવવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ રવિવાર તા 21 ના રોજ અને 5 કલાકે  લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સમરસ ભવન ખાતે યોજાશે. જેમાં સંતો-મહંતો, અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે.

મોરબીમાં રબારી સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 કનીરામદાસજી મહારાજ (શ્રી વડવાળા મંદિર, દુધરેજધામ), મેઘ મંડલેશ્વર રામબાલકદાસજી બાપુ (કોઠારી, શ્રી વડવાળા મંદિર, દુધઈ) તથા બંસીદાસજી બાપુ (કોઠારી, શ્રી આપાગીગાની જગ્યા, મેસરિયા) ઉપસ્થિત રહેવાના છે. તે ઉપરાંત સમાજના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ હાજર રહેશે અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે સાથોસાથ સંતો મહંતો અને આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપવામાં આવશે.






Latest News