મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા


SHARE











મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા હાલમાં ખાનગી વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે થઈને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના 7 દિવસ થઈ ગયા છે અને સાતમા દિવસે ઉપવાસ છાવણી ખાતે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં સમગ્ર ગુજરાતમાંથી ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે રક્તદાન કરવા ખેડૂતો ઉમટી પડ્યા છે.

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી કંપનીની જે વીજ લાઈન પસાર થાય છે તેના વીજ પોલો અને વીજ વાયરના વળતર બાબતે ગત તા. 18 થી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને તેના 7 દિવસ પૂરા થયા છે ત્યારે સાતમા દિવસે એટલે કે તા. 24/6/2026 ના રોજ સવારે 9:00 વાગ્યાથી રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઉપવાસી છાવણી ખાતે ન માત્ર જેતપર કે મોરબી જિલ્લો પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો દ્વારા વધુમાં વધુ સંખ્યામાં હાજર રહીને રક્તદાન કરવામાં આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે

આજે ગામમાં આવેલ મંદિરના મહંત કૈલાશગિરિ બાપુ તેમજ ગામના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરીને રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવેલ હતો. જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાલમાં તેઓના વીજ વાયર અને વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેઓની પાસેથી ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેની ખેડૂતો દ્વારા લડાઈ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ખેડૂતો રક્તદાન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. ઉલેખનીય છે કે, ફેબ્રુઆરી 2025 માં રીબડા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 5419 બોટલ રક્ત એકત્રિત થયું હતું જેનાથી પણ વધુ રક્તની બોટલો જેતપર ગામે ઉપવાસી છાવણીમાં એકત્રિત થશે તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.  #મોરબી #morbi






Latest News