મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર


SHARE











મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર

મોરબીના જેતપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ લાઇનના થાંભલા નાખવા બાબતે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. અને ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન પર પણ ઉતરી ગયા છે. આ સંવેદનશીલ મુદ્દે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

હાલમાં સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમા જણાવ્યું છે કે મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જેતપર ગામમાં વિજ લાઇનના થાંભલા બાબતે ખેડૂતો કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, અને ઉપવાસ આંદોલન પણ ચાલુ છે. તેમજ ખેડૂતોની માંગણી વ્યાજબી છે જેથી અત્યારે ગામના સરપંચ તરીકે ખેડૂતોના પ્રશ્ન ઉકેલવા માટે તેઓએ પીએમને રજુઆત કરી છે. અને ખેડૂતોની માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News