મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
SHARE
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
મોરબીના જેતપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ લાઇનના થાંભલા નાખવા બાબતે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. અને ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન પર પણ ઉતરી ગયા છે. આ સંવેદનશીલ મુદ્દે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.
હાલમાં સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમા જણાવ્યું છે કે મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જેતપર ગામમાં વિજ લાઇનના થાંભલા બાબતે ખેડૂતો કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, અને ઉપવાસ આંદોલન પણ ચાલુ છે. તેમજ ખેડૂતોની માંગણી વ્યાજબી છે જેથી અત્યારે ગામના સરપંચ તરીકે ખેડૂતોના પ્રશ્ન ઉકેલવા માટે તેઓએ પીએમને રજુઆત કરી છે. અને ખેડૂતોની માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.