મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી


SHARE







મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનમાં સરકાર સાથે વાટાઘાટ કરવા માટે થઈને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ તૈયારી દર્શાવી છે અને તેઓ ખેડૂતોની વળતર માટેની માંગણી સાથે ખેડૂતોની કમિટી નક્કી કરે તે ખેડૂતોને સાથે લઈને ગાંધીનગર જશે અને એક જ બેઠકમાં ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય તે માટેના પ્રયાસ કરશે અને જો ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો તેઓ પણ આગામી સમયમાં જેતપર ગામે ચાલતા આંદોલનની છાવણીની અંદર ખેડૂતોની સાથે બેસી જશે અને ખેડૂતોના હક માટે લડશે તેવી તૈયારી દર્શાવી છે.

મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ અને વીજ વાયરના વળતર માટે છેલ્લા સાત દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે દરમ્યાન સાતમા દિવસે હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ કહ્યું હતું કે ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતો હોય તો હું ખેડૂતોની સાથે ગાંધીનગર તેઓની માંગણીઓનું લીસ્ટ લઈને જવા માટે તૈયાર છું અને કમિટી નક્કી કરે તે પાંચ ખેડુતો તેઓની સાથે જશે. અને ખેડૂતોની હાજરીમાં તેઓની માંગણી માટે ચર્ચા કરવામાં આવશે અને એક જ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તેના માટે તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે જોકે, ખેડૂતોના પ્રશ્નોને લઈને અત્યાર સુધીમાં સરકાર તરફથી પણ બે થી ત્રણ વખત મંત્રણા કરવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોએ જે માંગણી લખીને આપી છે તે ઉકેલવા માટેની હજુ સુધી તેઓને લેખિત ખાતરી આપવામાં આવી નથી જોકે ખેડૂતો સાથે તેઓ જ્યારે ગાંધીનગર જાય ત્યારે એક જ બેઠકમાં તે લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેના તેઓ પ્રયાસ કરશે અને જો ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધીનગર થી પાછા આવ્યા બાદ તેઓ પણ ઉપવાસી છાવણી ખાતે ખેડૂતોની સાથે બેસી જશે અને ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી તેઓની સાથે રહેશે તેવી તૈયારી હકાભા ગઢવીએ આપી છે






Latest News