મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો

હળવદના બુટવડા ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેની દીકરીને પતિ દ્વારા ચારિત્રની શંકા રાખીને દુખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રા તાલુકાના થળા ગામના રહેવાસી ચંદુભાઈ ગણેશભાઈ પાડલીયાએ તેના જમાઈ મુકેશભાઈ ગણેશભાઈ લોદરીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, જૂન 2025 માં તેઓની દીકરી અલ્કાબેનના લગ્ન મુકેશભાઈ લોદરીયા સાથે થયા હતા અને ફરિયાદીના જમાઈ ફરિયાદીની દીકરી ઉપર ચારિત્રની શંકા રાખતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે ફરિયાદીની દીકરીઅવારનવાર અગાઉ તેઓને જાણ પણ કરી હતી જેથી સમાધાન કરવા માટેના ફરિયાદીતેના જમાઈ અને વેવાઈની સાથે વાત પણ કરી હતી જોકે, ફરીયાદીની દીકરીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને ફરિયાદીની દીકરીના ચારિત્ર ઉપર શંકા કરવામાં આવતી હતી જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News