મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ


SHARE







ચોમાસામાં વરસાદ ખેંચાયો છે અને ઘણા બધા ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ચોમાસું પાક લેવા માટે આગોતરું વાવેતર કર્યું હતું જોકે વરસાદ ન થવાના કારણે ખેડૂતોના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી બ્રાહ્મણી 2 ડેમની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા સાત ગામના ખેડૂતો દ્વારા ડેમમાં ભરેલા પાણીમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં ડેમ ખાતે જઇને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સ્થાનિક જળાશયોમાં ભરાયેલા પાણીમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કે, હળવદ તાલુકાના બ્રાહ્મણી 2 ડેમમાંથી 7 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ડેમની કેનાલ મારફતે આપવામાં આવતું હોય છે ચાલુ વર્ષે ચોમાસું પાક લેવા માટે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વાવણી કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે જો હાલમાં સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને ન મળે તો તેઓએ પોતાના ખેતરમાં જે પાકની વાવણી કરી છે તે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી ખેડૂતો દ્વારા બ્રાહ્મણી 2 ડેમ ખાતે જઈને 7 જેટલા જે ગામ બ્રાહ્મણી 2 ડેમ હેઠળના વિસ્તારમાં આવે છે તેના ખેડૂતોને ડેમમાં ભરેલા પાણીમાંથી સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી વધુમાં ખેડૂતો પાસેથી મળતી વિગત પ્રમાણે ધનાળા, મયુરનગર, ધુળકોટ, સૂરવદર, ટીકર, ઘાટીલા, દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે અને હાલમાં વરસાદ ખેંચાયો છે જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરેલા પાકને બચાવવા માટે થઈને સિંચાઈનું પાણી મળે તે જરૂરી છે જેથી બ્રાહ્મણી બ2 ડેમની કેનાલ મારફતે તેઓને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી છે જો સમયસર ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નહીં મળે તો ખેડૂતોએ વાવણી કરવા માટે કરેલી મહેનત ઉપર પાણી ફરી વળશે અને ત્યારબાદ જો ચોમાસુ સક્રિય થઈ જાય તો ખેડૂતો પોતાના ખેતરની અંદર બીજી વખત વાવણી પણ કરી નહીં શકે જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે માટે વહેલી તકે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી  છે






Latest News