મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હે ભગવાન: હળવદના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી !, ભંગારના વેપારી સહિત બેની ધરપકડ, એકની શોધખોળ


SHARE





હે ભગવાન: હળવદના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી !, ભંગારના વેપારી સહિત બેની ધરપકડ, એકની શોધખોળ

હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી કરવામાં આવી હતી જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ  નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે તપાસ દરમ્યાન હાલમાં ભંગારને ડેલમાંથી ચોરી કરેલ ખાટલાનો ભંગાર મળી આવેલ હોય લોખંડના ખાટલાનો ભંગાર લેનારા વેપારી તેમજ ચોરી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે જો કે, એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કિરણભાઈ જીવણભાઈ બારાણીયા (24)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે હળવદ અમદાવાદ હાઇવે રોડ ઉપર પેટ્રોલ પંપની સામેના ભાગમાં સ્મશાન આવેલું છે અને ત્યાં તસ્કરોએ ધામા નાખીને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં રાખવામાં આવેલ લોખંડના ખાટલાની ચોરી કરી હતી જેથી 50,000 રૂપિયાની કિંમતના લોખંડના ખાટલાની ચોરી કરવામાં આવી હોવાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં હકીકત મળી હતી કે, સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી હિંમત કાનજીભાઈ પરમાર રહે . બસ સ્ટેશનની પાછળ હળવદ તથા કાંતિ ઉર્ફે કાનો રહે. પ્રતાપગઢ વાળાએ કરી છે અને આ ચોરી કરેલા લોખંડના ખાટલાનો ભંગાર હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ભંગારના ડેલામાં વેચાણ કર્યો છે જેથી પોલીસ દ્વારા ભંગારના ડેલામાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી સ્મશાનમાંથી ચોરી કરવામાં આવેલ લોખંડના ખાટલાનો ભંગાર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,000 રૂપિયાની કિંમતનો લોખંડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી કરનારા આરોપી હિંમત કાનજીભાઈ પરમાર રહે. હળવદ તથા ભંગારની ખરીદી કરનારા વેપારી પૂનમભાઈ દેવજીભાઈ મકવાણા રહે. હળવદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિ ઉર્ફે કાનો રહે. પ્રતાપગઢ વાળાને પકડવા માટે થઈને હાલમાં જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે




Latest News