મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને ઇજા કરનારા સામે પોલીસ કાર્યવાહી


SHARE





મોરબીમાં યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને ઇજા કરનારા સામે પોલીસ કાર્યવાહી

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઇક સામે એક શખ્સ આવી ગયો હતો અને તેને પોતાના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને માર મારીને ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન માં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી.

મોરબીના મહેન્દ્રપરા ઘાંચી શેરીમાં રહેતા રમેશભાઈ ભોજાભાઇ ટોયેટા (35)એ થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત સામે ફરિયાદ કરી હતી કે, વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસેથી ફરિયાદી તથા સાહેદ બાઈક નંબર જીજે 36 એએચ 3316 ઉપર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બાઈકની સામે આવી ગયો હતો  અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ચાલુ બાઇકે ડાબા કાન ઉપર હાથમાં પહેરેલ પંચ વડે માર મારીને ઇજા કરી હતી ત્યાર બાદ ગાળો આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત રહે. વીસીપરા ગુલાબનગર મોરબી વાળા સામે અટકાયતી કાર્યવાહી કરી હતી

ઝેરી દવા પી લીધી

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા કાંતાબેન બચુભાઈ પટેલ (70) નામના વૃદ્ધાએ કોઈ કારણોસર ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બીયરના 3 ટીન

મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે રામકૃષ્ણનગર નજીકથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના ત્રણ ટીમળી આવ્યા હતા જેથી પોલીસે 375 ની કિંમતના બિયરના જથ્થા સાથે આરોપી સિકંદર કરીમભાઈ જેડા (32) રહે. નોતીયાર પાન પાસે વીસીપરા મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીમાં રામકૃષ્ણનગરમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં અનિતાબેન મહેશભાઈ ડુંગરા (26) નામની મહિલાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News