મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે


SHARE





વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ કલબ (દેવદયા)ના સંયુકત ઉપક્રમે ત્રાંસી આંખ (સ્કિવન્ટ)ના દર્દીઓ માટે તા.8 ઓગષ્ટને શનિવારના રોજ વિનામૂલ્યે નિદાન અને કેસ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 કેમ્પમાં વડોદરાના જાણીતા આંખના નિષ્ણાત ડો. જીતેન્દ્ર જેઠાણી અને તેમની ટીમ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપશે. દર્દીઓના કેસ નોંધવાની પ્રક્રિયા સવારે 9થી 12 સુધી રહેશે.આયોજકો દ્વારા જણાવાયું છે કે દર્દી સાથે વધુમાં વધુ બે વ્યકિત જ આવી શકશે અને કેસ નોંધાવવા માટે દર્દીએ રૂબરૂ હાજર રહેવું ફરજીયાત રહેશે. કોઈપણ ઉમરના ત્રાંસી આંખના દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકશે.આ કેમ્પનું આયોજન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી, આંખનો હોસ્પીટલ, નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલ સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.94089 39982 પર સંપર્ક કરવા જણાવાયું છે




Latest News