મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા


SHARE





વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા

 

વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે બુલડોઝર અને અન્ય સાધનોની મદદથી રસ્તાઓ પર ઉભેલા લારી-ગલ્લા, રેકડીઓ અને કેબીન દુર કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અનેક દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી હતી. માર્ગો પરથી દબાણ દુર થતા મુખ્ય રસ્તાઓ ખુલ્લા દેખાયા હતા.

જેના કારણે વાહન વ્યવહાર પણ વધુ સુગમ બન્યો હતો. નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા  મુજબ, જાહેર  માર્ગો પરના ગેરકાયદે દબાણ દુર  કરીને નાગરિકોને અવરજવર માટે સરળતા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.સ્થાનિક લોકોમાં કેટલાકે આ કાર્યવાહીનું સ્વાગત કર્યુ હતું જયારે કેટલાક અસરગ્રસ્તોએ પોતાના રોજગાર અંગે ચિંતા વ્યકત કરી હત. હાલ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણમુકત માર્ગો જાળવી રાખવા માટે આગળ પણ જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.




Latest News