મોરબીના ઉંચી માડલ પાસે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં
SHARE
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પાછા ખેંચાયા: વેપારી પેનલમાં 6 અને ખેડૂત પેનલમાં 19 ઉમેદવારો મેદાનમાં
મોરબી માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેના માટે કુલ મળીને 33 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે 8 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી કરીને હવે માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 6 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 19 ઉમેદવારો મેદાનમાં છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે કુલ મળીને 33 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરાવામાં આવ્યા હતા. અને બુધવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની આખરી તારીખ હતી ત્યારે વેપારી પેનલમાંથી 1 અને ખેડૂતની પેનલમાંથી 7 ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે જેથી હવે યાર્ડની 14 બેઠકો માટે કુલ મળીને 25 આગેવાનો મેદાનમાં છે અને આગામી તા 9/9 ના રોજ મોરબી માર્કેટ યાર્ડની બેઠકો માટેની ચૂંટણી યોજાશે અને તા. 10/9 ના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે ઉલેખનીય છે કે, સહકર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પરીવર્તન પેનલ આ ચુંટણીમાં આમને સામને છે. ઉલેખનીય છે કે, મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગાઉ વર્ષ 1988. 1995, 2001 અને 2021 માં ચુંટણી યોજાઈ હતી અને હાલમાં વર્તમાન બોડીની મુદત પૂરી થયેલ છે જેથી કરીને ચૂંટણી યોજવા જય રહી છે, આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1507 અને વેપારી પેનલ માટે 51 મતદારો છે અને આ યાર્ડમાં મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની 140 મંડળીઓ અને 1668 મતદારો નોંધાયેલ છે. જો કે, હાલમાં ખેડૂતોનું જે મોરબી જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે તેની અસર યાર્ડની ચુંટણીમાં કેવી રહેશે. તેના ઉપર હાલમાં રાજકીય પંડિતોની નજર મંડાયેલ છે.