મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર તાત્કાલિક પેચ વર્ક કરાવવામાં આવ્યું
SHARE
મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર તાત્કાલિક પેચ વર્ક કરાવવામાં આવ્યું
મોરબીમાં પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા જન્માષ્ટમી નિમિતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે શોભાયાત્રાના રૂટ જડેશ્વર મહાદેવ મંદિરથી લઈ દરબારગઢ, નગર દરવાજા ચોક સુધી ના વિસ્તારમાં મોરબી મહાનગરપાલિકાના માર્કેટ સમિતીના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણીના પ્રયત્નોથી આરસીસી પેચ વર્ક હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ નૈમિષભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ મોરબી મહાનગરપાલિકાના મેયર ઉતમભાઈ સુરાણી, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટે.કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સાથે સંકલન કરીને જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર ખાડા હોવાથી તેનું તાત્કાલિક સમારકામ કરવાની જરૂર હતી જેથી કરીને મહાપાલિકાની માર્કેટ સમિતી ચેરમેન ભાવીનભાઈ ઘેલાણીએ અધિકારીઓની સાથે રહીને તાત્કાલિક કામગીરી કરવી હતી તેવી માહિતી નિર્મિત કક્કડ દ્વારા આપવામાં આવેલ છે.