મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં


SHARE





મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં

મોરબી તાલુકાના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની બિલ્ડીંગ જર્જરીત થઈ ગયેલ હોય અવારનવાર છતમાંથી પોપડા છે તેવી જ રીતે વધુ એક વખત છતમાંથી પોપડા પડ્યા હતા જો કે, ત્યારે ગ્રામ પંચાયત કચેરીમાં કોઈ હાજર ન હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી પરંતુ ઓફિસમાં રાખવામા આવેલ ઓફિસ ફર્નિચરમાં નુકશાન થયું છે તેવી માહિતી ગ્રામ પંચાયતના સદસ્ય પાસેથી મળેલ છે.

ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના આગેવાન સુરપાલસિંહ જાડેજાએ છ મહિના પહેલા ખારચીયા ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગ બનાવવા માટે થઈને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તેને ધ્યાને લેવામાં આવી નથી અને નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું નથી. આ ગ્રામ પંચાયતમાં અગાઉ પણ છતમાંથી પોપડા પડ્યા હતા જેથી હવે જયારે પણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગામમાં આવેલ રામજી મંદિરમાં ગ્રામસભા રાખવી પડે તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં વધુ એક વખત ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડ્યા હતા જો કે, ત્યારે ગ્રામ પંચાયત ઓફિસમાં કોઈ હાજર હતું નહીં પરંતુ ઓફિસમાં રાખવામાં આવેલ ટેબલ અને ખુરશીમાં નુકસાન થયું હતું. અને આગામી સમયમાં જો ગ્રામ પંચાયત ઓફિસની અંદર બેઠેલા અધિકારી, કર્મચારી અથવા તો ત્યાં કામકાજ માટે ગયેલા કોઈ નાગરિકને છતમાંથી પોપડા પડે અને તેઓને ઇજા થાય કે પછી જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે.




Latest News