મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો


SHARE





મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો

મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રા.શાળા અભ્યાસ કરતી બાળાઓને આરોગ્ય જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ તથા કીચન ગાર્ડન માટે તાલીમ આપવામાં આવી હતી. અને સ્થળ, સાધન, માટી, બીજ પાણી, ખાતર, વાવેતર, રોગ નિયંત્રણ વિશે પ્રાયોગિક સમજણ આપી હતી. દરેક બહેનોને પોતાના ઘરે વાવવા દેશી પાલકના બીજનું પેકેટ ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. શાકભાજીમાં પુષ્કળ છંટાતા જંતુનાશકો જે ઝડપે ગામે ગામ, ઘરે ઘરે કેન્સર ફેલાવી રહેલ છે, તેમાંથી બચવા દેશી ઓર્ગેનિક શાકભાજી વાવીને ખાવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવી હતી. તેઓએ વિદ્યાર્થીઓને બીજની કીટ તથા પોતે લખેલ વનસ્પતિ અને ગોપાલનના પુસ્તકો શાળાને ભેટ આપ્યા હતા. આ સમયે મધૂરમ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક તથા પ્રકૃતિ ઉપચાર કેન્દ્રના નેચરોપેથ શૈલેષભાઈ કાલરિયાએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રા.શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાએ તથા શિક્ષક સ્ટાફે સુંદર વ્યવસ્થા કરી આપી હતી.




Latest News