મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 


SHARE















મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા ચારણ સમાજને "રાવણોના ચારણ"  એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેની સામે સમગ્ર ભારત વર્ષમાં ચારણ સમાજ રોષે ભરાયો છે. અને રાષ્ટ્રીય પ્રવક્તા આવી અભદ્ર ટીપ્પણી બદલ ચારણ સમાજની માફી માંગે એ માટે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષને સમગ્ર ભારતના ચારણોએ આવેદન  આવવાનું શરૂ કર્યું છે. ત્યારે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવાનોની મોરબીની ટીમ ના અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવીની આગેવાનીમાં  મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાને રૂબરૂ મળીને આવેદન પાઠવીને સુરજેવાલા જાહેરમાં આવી મીડિયા સમક્ષ ચારણ સમાજની માફી માંગે તેવી પ્રબળ માંગણી કરી છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે  આંદોલન કરવામાં  આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે મોરબી જિલ્લા અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવીતાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા, પ્રવક્તા સંજયભા ગઢવીચારણ સમાજના માજી પ્રમુખ પ્રભાતદાન મિશણઉપાધ્યક્ષ મહેશદાન ગઢવીઆઇટી પ્રભારી વિજયભા રતનમીડિયા પ્રભારી મેહુલભા ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News