મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 


SHARE













મોરબીમાં અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા આવેદનપત્ર દેવાયું 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા ચારણ સમાજને "રાવણોના ચારણ"  એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેની સામે સમગ્ર ભારત વર્ષમાં ચારણ સમાજ રોષે ભરાયો છે. અને રાષ્ટ્રીય પ્રવક્તા આવી અભદ્ર ટીપ્પણી બદલ ચારણ સમાજની માફી માંગે એ માટે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષને સમગ્ર ભારતના ચારણોએ આવેદન  આવવાનું શરૂ કર્યું છે. ત્યારે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવાનોની મોરબીની ટીમ ના અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવીની આગેવાનીમાં  મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાને રૂબરૂ મળીને આવેદન પાઠવીને સુરજેવાલા જાહેરમાં આવી મીડિયા સમક્ષ ચારણ સમાજની માફી માંગે તેવી પ્રબળ માંગણી કરી છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે  આંદોલન કરવામાં  આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે મોરબી જિલ્લા અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવીતાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા, પ્રવક્તા સંજયભા ગઢવીચારણ સમાજના માજી પ્રમુખ પ્રભાતદાન મિશણઉપાધ્યક્ષ મહેશદાન ગઢવીઆઇટી પ્રભારી વિજયભા રતનમીડિયા પ્રભારી મેહુલભા ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News