રાજશાહી વખતનું ટંકારાનું રેલવે સ્ટેશન તંત્રની બેદરકારીથી બન્યું ખંઢેર
મોરબી સહિત રાજ્યના ૮ મહાનગરો અને ૧૯ નગરોમાં ૪ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ યથાવત
SHARE
મોરબી સહિત રાજ્યના ૮ મહાનગરો અને ૧૯ નગરોમાં ૪ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ યથાવત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ તારીખ ૪ ફેબ્રુઆરી સુધી યથાવત રાખવામા આવેલ છે
રાજયના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં હતો તેની સાથે મુખ્યમંત્રીએ ૧૭ નગરો જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા.૨૯ સુધી રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો હતો જેને આગામી તારીખ ૪ ફેબ્રુઆરી સુધી યથાવત રાખવામા આવલે છે. અને અગાઉ જે ગાઈડ લાઇન હતી તેને જ ચાલુ રાખવામા આવી છે