ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે તા ૭ ના રોજ સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે અને ક્રીડા ભારતી દ્વારા સ્વતંત્રતાની રાષ્ટ્ર વંદના માટે ૭૫ કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ સમગ્ર દેશમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

આ અંતર્ગત મોરબીની સાર્થક શાળામાં તા.૭ ને સોમવારના  દિવસે  સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે તેમજ સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે વધુમાં શરીર માટે સર્વાંગીપણે ઉપયોગી સૂર્યનસ્કાર અંગે માહિતી પણ આપવામાં આવશે. અને આ કાર્યક્રમમાં ધો. ૬ થી ૯ સુધીના વિદ્યાર્થી પ્રત્યક્ષ ભાગ લેનાર છે તે તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે અને શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના અન્ય સ્ટાફવિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્યનમસ્કાર કરવાં માટે આહવાન કર્યું છે.






Latest News