મોરબીની આંગડિયા પેઢી સાથે ૪૩.૨૦ લાખની છેતરપિંડી કરનારા તેના જ કર્મચારીની ધરપકડ
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે તા ૭ ના રોજ સૂર્યનમસ્કાર દિવસ ઉજવાશે અને ક્રીડા ભારતી દ્વારા સ્વતંત્રતાની રાષ્ટ્ર વંદના માટે ૭૫ કરોડ સૂર્યનમસ્કારનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ સમગ્ર દેશમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે.
આ અંતર્ગત મોરબીની સાર્થક શાળામાં તા.૭ ને સોમવારના દિવસે સૂર્યનમસ્કાર દિવસ ઉજવવામાં આવશે તેમજ સામુહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવશે વધુમાં શરીર માટે સર્વાંગીપણે ઉપયોગી સૂર્યનસ્કાર અંગે માહિતી પણ આપવામાં આવશે. અને આ કાર્યક્રમમાં ધો. ૬ થી ૯ સુધીના વિદ્યાર્થી પ્રત્યક્ષ ભાગ લેનાર છે તે તમામ વિદ્યાર્થીઓને ક્રીડા ભારતી અને સાર્થક વિદ્યામંદિર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તકે ક્રીડા ભારતી મોરબીની ટિમ અને કેટલાક આગેવાનો હાજર રહેશે અને શાળાના સંચાલક કિશોરભાઈએ શાળાના અન્ય સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘેર બેઠા સૂર્યનમસ્કાર કરવાં માટે આહવાન કર્યું છે.