ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા પેઢી સાથે ૪૩.૨૦ લાખની છેતરપિંડી કરનારા તેના જ કર્મચારીની ધરપકડ


SHARE













મોરબીની આંગડિયા પેઢી સાથે ૪૩.૨૦ લાખની છેતરપિંડી કરનારા તેના જ કર્મચારીની ધરપકડ

મોરબીના સરદાર ભવનરોડ ઉપર આવેલ બાલાજી ચેમ્બરની અંદર આવેલી રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા કંપનીમાંથી ૪૩.૨૦ લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવેલ હતી જેથી છેતરપિંડીના આ બનાવમાં કંપનીના માલિક દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિ (૫૦) દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની આંગડિયા પેઢીમાંથી ૪૩.૨૦ લાખ રૂપિયાની ઉચાપત થઇ હોવા અંગેની ફરિયાદ નોંધવવામાં આવી હતી અને ફરિયાદીએ જણાવ્યુ હતું કે, તેની ભાગીદારી પેઢી વાળી રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીની મોરબીના સરદાર ભવનરોડ પર આવેલ બાલાજી ચેમ્બરમં બ્રાન્ચ કાર્યરત છે જેમાં કર્મચારી તરીકે જીતેન્દ્રકુમાર કનાજીલાલ પ્રજાપતિ રહેઉડરાજસ્થાન વાળાને રાખવામાં આવ્યો હતો અને તેના ઉપર વિશ્વાસ રાખીને તેને પેઢીનો સંપૂર્ણ વહીવટ સાંભળવા માટે આપ્યો હતો જોકે ફરિયાદીની ભાગીદારી પેઢીમાંથી સમયાંતરે ૪૩,૨૦,૫૧૦ જેટલી રકમની તેને ઉચાપત કરેલ હતી જેથી મગનભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી

જેના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્મા ફરજ બજાવતા રામભાઇ મંઢ તથા ચકુભાઇ કરોતરાને મળેલ હકિકત આધારે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્રકુમાર કનૈયાલાલ પ્રજાપતી (ઉ.૨૭) રહે. ઉડ ગામ કુંભારવાસ (રાજસ્થાન) વાળાની તે મોરબી આવેલ હોય સરદાર રોડ ધરતીટાવર પાસેથી ધરપકડ કરેલ છે આ કામગીરીમાં પીઆઇ જે.એમ.આલ, પીએસઆઈ આર.પી.રાણા, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, આશીફભાઇ રાઉમા, અરજણભાઇ ગરીયા, હસમુખભાઇ પરમાર, શકિતસિંહ પરમાર તથા તેજાભાઇ ગરચરએ કરેલ છે






Latest News