મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મહારાષ્ટ્રથી દાદાને કચ્છ મૂકવા જતાં પરિવારને હળવદ પાસે નડ્યો અકસ્માત, બે મહિલા સહિત ત્રણનાં મોત, બે ને ઇજા


SHARE











મહારાષ્ટ્રથી દાદાને કચ્છ મૂકવા જતાં પરિવારને હળવદ પાસે નડ્યો અકસ્માત, બે મહિલા સહિત ત્રણનાં મોત, બે ને ઇજા

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલા નવા ધનાળા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર રોડ સાઈડથી નીચે ઉતરી જતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી કચ્છની બે મહિલા સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજયા છે અને બે વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હળવદ ખસેડવામાં આવેલ છે અને મહારાષ્ટ્રથી દાદાને કચ્છના દેશલપર ગામે મૂકવા જતાં પરિવારને અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવેલ છે

મોરબી જિલ્લામાં વાહન અકસ્માતોએ માઝા મૂકી હોય તેવો ઘાટ જોવા મળે છે અને દરરોજ કોઈને કોઈ રોડ ઉપર અકસ્માતમાં જીવનદીપ બુજાય છે તે રીતે જ તા.૯-૨ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં મોરબીના હળવદ તાલુકાના નવા ધનાળા ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં મહારાષ્ટ્ર પાર્સિંગની ટોયોટા ફોર્ચ્યુનર કાર નંબર એમએચ ૪ એફપી ૫૦૫૧ રોડ ઉપરથી નીચે ઉતરી જતા કારમાં બેઠેલા કુલ પાંચ લોકો પૈકી બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું અને બે લોકો ઘાયલ હોય તેઓને સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં હળવદના પીઆઇ મથુકિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, મૂળ કચ્છના રાપર તાલુકાના દેસલપર ગામના વતની લોકો મહારાષ્ટ્રથી કચ્છ જતાં હતા ત્યારે અકસ્માતનો બનાવ સર્જાયો છે અને જેમાં સમુબેન વસ્તાભાઇ પટેલ, રમેશભાઈ વસ્તાભાઇ પટેલ અને મોંઘીબેન માનાભાઈ પટેલના મોત નિપજ્યાં છે અને રૂત્વીક માનાભાઈ પટેલ અને વસ્તાભાઇ નારણભાઇ પટેલને ગંભીર ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે

વધુમાં મળતી માહિતી મુજબ વસ્તાભાઇ નારણભાઇ પટેલને તેનો દીકરો રમેશભાઈ વસ્તાભાઇ પટેલ સહિતના પરિવાર જાણો કચ્છના દેસલપર ગામ મૂકવા માટે જતાં હતા ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ધનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણનાં મોત નિપજ્યાં છે અને જે વૃધ્ધને ઘરે મૂકવા માટે જતાં હતા તે વૃધ્ધ અને એક યુવાનને ઇજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે






Latest News