મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર નજીક અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પાનેલી ગામના યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર જય રહેલા બાઈક ચાલકને કાર ચાલકે પાછળથી હડફેટે લીધી હતો અને કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી નાશી ગયો હતો જો કેબાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા શીવાભાઈ ડાયાભાઈ ખાણધર જાતે સથવારા (ઉંમર ૬૭) એ કાર ચાલક સામે અકસ્માતની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો દીકરો કરણભાઈ શીવાભાઈ ખાણધર (ઉંમર ૩૬) પોતાનું બાઇક નંબર જીજે ૩ સીએફ ૨૨૩૫ લઈને રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આવેલ કટ પાસેથી પાનેલી તરફ જવાના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઇને ઘટના સ્થળેથી નાસી ગયેલ હતો જો કેકરણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News