મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી : સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી ગયેલ રાજકોટનો યુવાન સારવારમાં


SHARE







મોરબી : સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી ગયેલ રાજકોટનો યુવાન સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકાથી આગળ આવેલ સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી જતા સુરેશભાઇ તખુભાઈ ચારોલીયા (ઉમર ૩૫) રહે.આણંદપર (નવાગામ) દેવનગરના ઢોરો જીલ્લો રાજકોટ વાળાને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ કરીને બનાવ સંદર્ભે સામખયારી પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાઠે ભડીયાદ ગામે રહેતો વિશાલ નવઘણભાઈ કગથરા નામનો ૨૪ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે લાલપર પાસે કેનાલ નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબીની તીર્થંક પેપરમીલ લીલાપર રોડ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં શ્રવણકુમાર શિવચોપાન નામના ૨૭ વર્ષીય પરપ્રાંતીય યુવાનને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા ચેતન મોમૈયાભાઈ ડાવેરા નામના ૩૯ વર્ષીય યુવાનને સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉદય છત્રપતિરાવ ઇધરા જાતે ચૌધરી નામના ૩૬ વર્ષીય યુવાનને આંદરણા અને ચરાડવાની વચ્ચે આવેલ ભૈરવનાથ હોટલ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના ગ્રીનચોક વિસ્તારની ભવાની શેરીમાં રહેતા પાયલબેન જયપ્રકાશભાઈ બારેજીયા નામના ૪૧ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ કાલીકા પ્લોટ નર્મદા હોલ નજીક રહેતા મકબુલ મોહસીનભાઇ સેડાત નામનો ૧૧ વર્ષીય બાળક પગપાળા જતો હતો તે સમયે કોઇ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતાં મકબુલને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News