મોરબી ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના સાથે વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા
SHARE
વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા મીટીંગ યોજાઈ હતી તેમાં સમગ્ર વાંકાનેર તાલુકા કોળી ઠાકોર સમાજના આગેવાન અને યુવાનો જોડાયા હતા તેમજ રાજકોટ ઠાકોર સેના, મોરબી ઠાકોર સેના, હળવદ ઠાકોર સેનાના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વાંકાનેર તાલુકાના ૧૭ ગામના આગેવાન અને યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આવનારી તા. ૧૬/૪ ના રોજ વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા માટે ચર્ચા કરવામાં આવી હતી આશરે ૪૦ કી.મી. ની સોભાયાત્રા છે અને ૧૫ થી વઘારે ગામ દર્શનનો લાવો લેશે ત્યારે મચ્છુ ડેમ રોડ હોલમઢ ગામથી તા. ૧૬/૪ ના રોજ સવારે ૮ વાગ્યે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને મહીકા, કોઠી, જોધપર, લીબાળા, કેરાળા, ઘમલપર ચોકડી પાસે વેલનાથ બાપુનો મહા પ્રસાદ રાખેલ છે અને બાદમાં ઘમલપર-૨, હસનપર, શક્તિપરા, વીછીપરા, મિલ પ્લોટ, નવાપરા હાઈવે, જીનપરા મેઇન બજાર, માર્કેટ ચોક, દિવાનપરા, વેલનાથપરા, આરોગ્ય નગર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે તેવું વાંકાનેર ઠાકોર સેના દ્વારા જણાવવામાં આવ્યું છે