મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના વજેપર ગામની વાદગ્રસ્ત જમીનના દાવામા દાવો ૨દ કરવાની અરજી રદ કરતી કોર્ટ


SHARE













મોરબીના વજેપર ગામની વાદગ્રસ્ત જમીનના દાવામા દાવો ૨દ કરવાની અરજી રદ કરતી કોર્ટ

મોરબીની બાજુમા આવેલ વજેપ૨ ગામની જમીનમા નરશીભાઈ ટપુભાઈ અગેચાણીયાના કાયદેસ૨ના વારસદાર કિશનભાઈ નરશીભાઈ અગેચાણીયાએ દાવો કરેલ જેમા પ્રતિવાદીએ દાવો ૨દ કરવાની અરજી કોર્ટમાં કરેલ હોય જે અરજી કોર્ટ એ રદ કરતો હુકમ કરેલ છે.

આ કેસ ની હકિકત એવી છે કે મોરબી ના વજેપર ગામની જમીનના ખાતા નં. ૧૦૮૬ થી સર્વે નં.૧૦૯૬/૧ પૈકી ૪ ની ખેતીની જમીનમા દાવો કરનાર કિશનભાઈના પિતા નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાએ નાનજીભાઈ ૫૨મા૨ના અવસાન બાદ તેમના પુત્રો પૈકી પરબતભાઈ નાનજીભાઈ પરમાર, દયારામભાઈ નાનજીભાઈ પ૨મા૨ સાથે તે બન્ને વ્યક્તિનો મિલ્કતમા જે હકક હિસ્સો છે તે હિસ્સાની રકમ ચુકવીને સોદાખત તા.૭-૬-૧૮ ના રોજ કરાવેલ છે. જે મુજબ પરબતભાઈ અને દયારામભાઈનુ નામ ઉપરોકત જમીનના ૭/૧૨ મા નામ ચડયા બાદ મિલ્કતનો દસ્તાવેજ કરવાનુ નકકી થયેલ ત્યાર બાદ નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાનુ અવસાન થયેલ ત્યાર બાદ સોદાખત કરી આપનાર પરબતભાઈ અને દયારામભાઈએ પોતાનુ નામ મિલ્કત ના ૭/૧૨ માં ચડયાના આશરે ૧૫ દિવસમા જ મિલ્કતનો દસ્તાવેજ પોતાના અન્ય ભાઈઓ સાથે તુપ્તીબેન મહેશભાઈ કુંડારીયાને વેચાણ કરી આપેલ છે.જેની જાણ નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાના પુત્ર કિશનભાઈને થતા કિશનભાઈએ આ મિલ્કતમા થયેલ હાલનો દસ્તાવેજ ૨દ કરવા તથા તે મિલ્કતમા પોતાનો કાયદેસરનો હકક, હિત, હિસ્સો રહેલ તે લગત દાવો તેમના એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, દુર્ગેશ ધનકાણી મારફત મોરબીની કોર્ટમા દાવો કરેલ છે.

જે ચાલુ દાવે પ્રતિવાદીને નોટીસ બજતા ૫૨બતભાઈ તથા દયારામભાઈએ તેમના વકીલ મારફત દાવો રદ કરવા માટેની અરજી કરેલ જે અરજીના અનુસંધાને વાદીના એડવોકેટએ વાંધા રજુ કરેલ તથા તે અરજીની દલીલ તબકકે બન્ને પક્ષકારોના એડવોકેટ દલીલ ધ્યાને લીધા બાદ મોરબીના મહે.સી. સીવીલ જજ વાય.એન.પટેલએ પરબતભાઈ તથા દયારામભાઈના થકી થયેલ દાવો રદ કરવાની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.આ કામમાં વાદી કિશનભાઈ નરસીભાઈ વતી જાણીતા યુવા એડવોકેટ જીતેન અગેચાણીયા અને દુર્ગેશ ધનકાણી રોકાયેલા હતા.






Latest News