મોરબીના વજેપર ગામની વાદગ્રસ્ત જમીનના દાવામા દાવો ૨દ કરવાની અરજી રદ કરતી કોર્ટ
મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ધરપકડ થયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ધરપકડ થયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો
મોરબી તાલુકા પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મો ૨ બી તાલુકા ત્રાજપર ગામમાં સીટી સર્વે નં.૨૩૬૦૦૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સમાં બનાવેલ હોય જે પૈકી મકાન નં.૪૩ ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાક મકાનમાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પતીબંધ કાયદાની કલમ ૩ (૩), ૫ (સી) મુજબ નોંધી ધરપકડ કરવામા આવેલી. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયા હતા.
આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નિર્દોષ છે.ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે.આરોપીની સીધી કે આડક્તરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી.પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી.તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કર્યા હતા.આરોપી પક્ષની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અંગેચાણીયા, જીતેન અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ, દીવ્યા સીતાપરા રોકાયેલા હતા.









