મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી


SHARE











મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી

મોરબી તાલુકાના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે ત્રણ મકાનના તાળાં તોડીને ત્રણ મકાનોમાથી તસ્કરો સોના અને ચાંદીના દાગીના મળીને ૯૧ હજારના મુદામાલની ચોરી કરીને લઈ ગયા છે જેથી કરીને ભોગ બનેલા મકાન માલિકની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરેલ છે જેથી હાલમાં રજનીકાંત ગંગારામભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રોયલ પાર્કમાં તેના મકાનમાં તસ્કરોએ તાળા તોડી પ્રવેશી કર્યો હતો અને ૪૦ ગ્રામ ચાંદીના દાગીના અને ૧૭ ગ્રામ સોનાના દાગીના જે કુલ ૫૮૦૦૦ અને રોકડા ૧૦૦૦૦  તેમજ તેમની બાજુમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈના મકાનમાંથી રોકડા ૧૧૦૦૦ અને બળદેવભાઈ મગનભાઈના મકાનમાંથી રોકડા ૧૨૦૦૦ આમ કુલ ૯૧ હજારના માલની ચોરી કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ બનાવની તપાસ મોરબી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે 






Latest News