માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત


SHARE















ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત

સરકાર દ્વારા ધો. ૧૦ માં વિદ્યાથીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થી પાસ થયા છે જેથી કરીને ટંકારા તાલુકામાં ધો. ૧૧ વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત છે કેમ કે, હાલમાં બધી જ શાળા હાઉસફુલ થઈ ગયેલ છે જેથી જિલ્લા પંચાયતની ટંકારા બેઠકના સદસ્ય અને અન્ય ભાજપના અગ્રણીઑએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરેલ છે

સરકારે ધો. ૧૦ માં માસ પ્રમોશન આપેલ છે જેના કારણે દર વર્ષ કરતા આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે જેથી ધો. ૧૧ માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળામાં નવા વર્ગો ઉભા કરવા બાબતે જિલ્લા પંચાયતના ટંકારાના સભ્ય ગોધાણી ભુપેન્દ્રભાઈ અને ભાજપના આગેવાન નથુભાઈ કડીવારએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષે ૨૦૨૦૨-૨૧ માં કૉવિડ-૧૯ ને કારણે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ છે. ટંકારા તાલુકાની કુલ ૧૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧૦ ના વર્ગો ચાલે છે. પરંતુ માત્ર ૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચ માધ્યમિકના વર્ગો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી. ત્યારે જો નવા વર્ગોની મંજૂરી આપવામાં આવે તો જ વિદ્યાર્થીઓને સમાવી શકશે માટે હાલમાં ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત થઈ ગયા છે






Latest News