મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બરમાં ઉપરથી નીચે ફેંકીને યુવાનની હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE















 

મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બરમાં ઉપરથી નીચે ફેંકીને યુવાનની હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

 મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બરમાં ઉપરના માળેથી નીચે ફેંકીને થોડા દિવસો પહેલા એક યુવાનની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર-૧ નજીક શનિવારે રાતે યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ઘટનામાં મૃતક યુવાનના પિતા ભૂપતભાઇ ટાપુભાઇ સોલંકી (૭૬) રહે, દેવા ભગતની વાવની પાછળ ઇન્દિરાનગર સોસાયટી સુરેન્દ્રનગર વાળાની ફરિયાદ લેવામાં આવી હતી અને તેના દીકરા રણજીત ભૂપતભાઇ સોલંકી (૪૦) રહે, ચેતનભાઈ રબારીની ચા ની હોટલ લખધિરપુર રોડ મૂળ રહે સુરેન્દ્રનગર વાળાની મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે રહેતા જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘર જાતે કચ્છી મિયાણાં અને વજેપર વિસ્તારમાં રહેતા મુન્નો અલારખાભાઇ પરમાર દ્વારા હત્યા કરવામાં આવી છે તેવી તેમણે ફરિયાદ લખાવી હતી જેમાં તેમણે લખાવ્યું હતું કે, તેના દીકરા રણજીત ભૂપતભાઇ સોલંકીને આરોપીઓ ગાળો આપતા હતા જેથી રણજીત સોલંકીએ “તમારા બન્નેથી કશું ન થાય” તેવું કહેતા આરોપીઓએ તેને ઉપાડીને શક્તિ ચેમ્બરની લોબીમાંથી ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં મોરબી બી ડિવિઝન પોલીસ પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહી હતી અને હત્યના આ બનાવમાં પોલીસે હાલમાં જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘર જાતે કચ્છી મિયાણાં (૨૮) રહે, મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે અને મૂળ વવાણિયા વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News