મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

દેવસ્થાનોમાં સારી સફાઈ રાખીને લોકોને સફાઈનું શિક્ષણ દેવ સ્થાનમાંથી મળશે તો તેના દેશમાં સારા પરિણામો મળશે: નરેન્દ્ર મોદી


SHARE













દેવસ્થાનોમાં સારી સફાઈ રાખીને લોકોને સફાઈનું શિક્ષણ દેવ સ્થાનમાંથી મળશે તો તેના દેશમાં સારા પરિણામો મળશે: નરેન્દ્ર મોદી

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હરિદ્વાર ધામ ખાતે મુકવામાં આવેલ હનુમાનજી મહારાજની ૧૦૮ ફૂટની મૂર્તિનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રની ભૂમિ એ તપોભૂમિ છે અને અહીંયા શ્રદ્ધાની સાથે જુદા જુદા સેન્ટર ઉપર આવકના સાધનો પણ વધી રહ્યા છે અને આસ્થાનું કોઈ પણ કામ હોય તેમાં દાતાઓની કમી રહેતી નથી અને તે કામથી પૂર્ણ થતાં જ હોય છે ખાસ કરીને તેઓએ મોરબીમાં વર્ષો પહેલા આવેલ જળ હોનારત અને ભૂકંપના પ્રસંગોને પણ યાદ કર્યા હતા અને તે સમયે કરેલી સેવાકીય કામગીરીની પ્રેરણા તેઓને કેશવાનંદ બાપુના આશ્રમ ખાતેથી મળી હતી તેવું જણાવ્યુ હતું

કેશવાનંદ બાપુની તપોભુમી એવા ખોખરા હનુમાનજી મહારાજ મંદિર ખાતે હાલમાં ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે જેનું અનાવરણ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનોદભાઇ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ સ્થળ ઉપર ચાલતી કનકેશ્વરીદેવીની રામકથામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા હતા અને તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રની ભુમી એ તપોભૂમિ છે અને અહીંયા જુદાજુદા દેવસ્થાન ઉપર જે રીતે છેલ્લા વર્ષોમાં વિકાસ કામો થયા છે તેની સાથોસાથ સ્થાનિક લેવલે આવકના સાધનો પણ વધી રહ્યા છે અને ટુરિઝમ વિકસાવવાની તાકાત અહીંના લોકોમાં છે જેથી ધીમે ધીમે લોકોની આવક પણ વધી રહી છે તેની સાથે તેઓ એવું પણ જણાવ્યું હતું કે સ્વચ્છતાને લઈને સમગ્ર દેશની અંદર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જો દેવસ્થાનોની અંદર સારી રીતે સફાઈ રાખવામાં આવે તો લોકોને સફાઈનું શિક્ષણ દેવ સ્થાનમાંથી મળશે અને તેના સારા પરિણામો સમગ્ર દેશની અંદર આગામી સમયમાં જોવા મળી શકે તેમ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સેવા અને સમર્પણની મૂર્તિ હનુમાનજી છે અને હનુમાનજીએ લોકોને કર્મકાંડ વાળી વ્યક્તિ નહીં પરંતુ સેવા અને સમર્પણની ભક્તિના દર્શન કરાવ્યા છે અને તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ખાસ કરીને ભગવાન શ્રીરામની સેવા કરીને પોતાની ઊંચાઈ વધારી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો તેમણે આ સાથે એવી પણ ટકોર કરી હતીકે જો લોકો સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરતા હશે તો સ્થાનિક લોકોની આવક અને રોજગારીમાં વધારો થશે અને હાલમાં તે દેશભરની અંદર જે કામગીરી કરી રહ્યા છે તેની હનુમાનજીમાંથી પ્રેરણા લઇ રહ્યા છે અને ભારતના ૧૩૦ કરોડ લોકોની અંદર રામના સ્વરૂપને જોઇને તે ભાવના સાથે તમામ લોકોની સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરી રહ્યા છે અંતમાં તેઓએ મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ તેમજ રાજકોટના અને જામનગરના સ્થાનિક ઉદ્યોગની પણ વાત કરતાં જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં મિનિ જાપાન બની રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તેઓએ હોનારત સમયે મોરબીમાં કામગીરી કરી હતી ત્યારે તેઓનો સંપર્ક કેશવાનંદ બાપુ સાથે થયો હતો અને તે સમય કરેલી કામગીરીના અનુભવમાંથી ૨૦૦૧ માં આવેલ ભૂકંપ વખતે કામગીરી કરી હતી આમ મોરબીના સુખ અને દુઃખમાં ભાગીદાર બનવાનું સૌભાગ્ય તેઓને મળ્યું છેતેવી લાગણી વ્યક્ત કરી હતી

હરિશ્ચંદ્ર નંદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં ભારતના જુદા-જુદા ચાર સેન્ટરો ઉપર ૧૦૮ પૂરની હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વર્ષ ૨૦૧૦ ની અંદર શિમલા ખાતે સર્વપ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે હાલમાં તે વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર આકર્ષણનું કેન્દ્ર બની છે તેવી જ રીતે બીજી ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ હાલમાં ખોખરા હનુમાન ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવી છે જેથી આગામી સમયમાં ખોખરા હનુમાન પણ લોકો માટે શ્રધ્ધા સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News