મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાને સારવારમાં ખસેડાઇ


SHARE













ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાને સારવારમાં ખસેડાઇ

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં વાડી રહીને મજૂરી કામ કરતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ મહિલાને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવ નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે વિજયભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતા મૂળ દાહોદના પાવ ગામના રહેવાસી શંકરભાઈ પરમાર જાતે આદિવાસીના પત્ની નંદાબેન પરમાર (ઉંમર ૨૧) એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો બે વર્ષનો છે અને તેને સંતાનમાં એક ચાર મહિનાની દીકરી છે હાલમાં પરણિતા સંપૂર્ણ ભાનમાં હોય પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News