મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવા તંત્ર દ્વારા અપીલ


SHARE









મોરબી જિલ્લામાં બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવા તંત્ર દ્વારા અપીલ

આગામી તા.૩/૫ ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના દિવસે દરેક જ્ઞાતીના લગ્ન તથા સમૂહ લગ્નો યોજાનાર છે. ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ ની કાયદાકીય જોગવાઈઓ મુજબ બાળ લગ્ન કરવા કે કરાવવા ગુનો બને છે. બાળ લગ્ન અધિનિયમ મુજબ કન્યાની ઉંમર ૧૮ વર્ષ પુરી હોય અને વરની ઉંમર ૨૧ વર્ષ પુર્ણ હોય તો જ લગ્ન થઈ શકે છે. અને આ ઉમર કરતા નાની ઉમરે લગ્ન કરવાએ ગુનો બને છે.

લગ્નમાં જોડાયેલા જેવા કે સમૂહ લગ્ન આયોજકો, સામાજીક આગેવાનો, ગોર મારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોયા, કેટરર્સ, મંડપ ડેકોરેશન, બગીવાળા, ડીજે-બેન્ડ વાજા, ફોટો અને વીડિયોગ્રાફર તેમજ લગ્ન કંકોત્રી છાપવાવાળા તેમજ લગ્નમાં આવનાર સગાસબંધીઓ અને લગ્ન માટે વાડી ભાડે આપનાર દરેકને તથા જાહેર જનતાને મોરબી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ એક લાખ રૂપિયા દંડ તથા બે વર્ષ સુધીની કેદ સજા પાત્ર ગુનો છે, અને આ સામાજીક દૂષણને અટકાવવું તે આપણા સૌની જવાબદારી છે. જો આવા લગ્ન કરવા દેવામાં આવે તો દીકરા, દીકરીઓ ઉપર ઘણી વિપરીત અસર થાય છે. જેથી આપના ગામમાં કે મોહલ્લામાં બાળલગ્ન ન થાય તેની તકેદારી રાખવી અને આ લગ્ન થતા જણાઈ આવે તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી (ઇ.ચા) મિલનભાઇ પંડિત (૯૯૧૩૨૩૭૫૦૦), જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયા (૯૪૨૭૫૧૨૮૩૬), સુરક્ષા અધિકારી રિતેશકુમાર ટી. ગુપ્તા (૯૫૮૬૪૦૫૪૫૩), લીગન કમ પ્રોબેશન ઓફિસર રોશનીબેન પટેલ (૯૦૩૩૫૬૯૨૪૯), ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ (ફ્રી હેલ્પલાઇન), પોલીસ (૧૦૦), મહિલા અભયમ્ ૧૮૧ (ફ્રી હેલ્પ લાઇન)નો સંપર્ક સાધી જાણ કરવા અને આપેલી માહિતી ગુપ્ત રાખવામા આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયાએ જણાવેલ છે.

કલાકારો ઓળખપત્ર મેળવવા અરજી કરી શકશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા કલાકારો માટે ઓળખપત્ર આપવાની કામગીરી કરવામાં આવનાર છે. નાટક, નૃત્ય, ગાયન, વાદન, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીક્સ તેમજ લોકશૈલીની પારંપારીક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેઓનું કલાક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષનું યોગદાન હોય તેઓએ ઓળખપત્ર મેળવવા માટે આ ફોર્મ ભરી શકેશે. આ કલાકારો ફોર્મમાં શરત નં. ૮.૧ અને ૮.૨ નિયમ મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ. વધુ વિગત તથા ફોર્મ મેળવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમનં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.  






Latest News