રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત


SHARE









હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત

હળવદમાં આવેલ તળાવમાં બાળક ડૂબી ગયો હોવાની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તળાવમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી અને બાર વર્ષના બાળકનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ખારી વાડી વિસ્તારની અંદર રહેતા દિનેશભાઈ પ્રજાપતિનો બાર વર્ષનો દીકરો સિધ્ધરાજ હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવના કાંઠે હતો ત્યારે પાણીમાં ડૂબી ગયો હોવા અંગેની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક ટીમો સ્થળ ઉપર આવી ગઈ હતી અને તળાવમાં ડૂબી ગયેલા બાળકને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને શોધખોળના અંતે તળાવના પાણીમાંથી સિધ્ધરાજ દિનેશભાઈ પ્રજાપતિ (૧૨) નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News