હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત


SHARE

















હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત

હળવદમાં આવેલ તળાવમાં બાળક ડૂબી ગયો હોવાની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તળાવમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી અને બાર વર્ષના બાળકનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ખારી વાડી વિસ્તારની અંદર રહેતા દિનેશભાઈ પ્રજાપતિનો બાર વર્ષનો દીકરો સિધ્ધરાજ હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવના કાંઠે હતો ત્યારે પાણીમાં ડૂબી ગયો હોવા અંગેની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક ટીમો સ્થળ ઉપર આવી ગઈ હતી અને તળાવમાં ડૂબી ગયેલા બાળકને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને શોધખોળના અંતે તળાવના પાણીમાંથી સિધ્ધરાજ દિનેશભાઈ પ્રજાપતિ (૧૨) નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.




Latest News