જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત


SHARE













હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત

હળવદમાં આવેલ તળાવમાં બાળક ડૂબી ગયો હોવાની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તળાવમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી અને બાર વર્ષના બાળકનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ખારી વાડી વિસ્તારની અંદર રહેતા દિનેશભાઈ પ્રજાપતિનો બાર વર્ષનો દીકરો સિધ્ધરાજ હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવના કાંઠે હતો ત્યારે પાણીમાં ડૂબી ગયો હોવા અંગેની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક ટીમો સ્થળ ઉપર આવી ગઈ હતી અને તળાવમાં ડૂબી ગયેલા બાળકને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને શોધખોળના અંતે તળાવના પાણીમાંથી સિધ્ધરાજ દિનેશભાઈ પ્રજાપતિ (૧૨) નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.








Latest News