રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા પાસે કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE









મોરબીના ખાખરાળા પાસે કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ કર્યો આપઘાત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે કારખાનામાં મજૂરી કામ કરતી અને ત્યાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે ગ્રો મોર લેમીનેટ નામનું કારખાનું આવેલ છે ત્યાં મજૂરી કામ કરતી અને રહેતી એંજેલબેન સિકંદરભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતાં મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો હતો અને તેને સંતાન ન હતું હાલમાં પરણિતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News