વાંકાનેરના જીનપરામાં એક સાથે 7 મકાનમાં તસ્કરોના ધામા: પોલીસ દોડતી મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન મોરબી મહાપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા પાસે કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE













મોરબીના ખાખરાળા પાસે કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ કર્યો આપઘાત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે કારખાનામાં મજૂરી કામ કરતી અને ત્યાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે ગ્રો મોર લેમીનેટ નામનું કારખાનું આવેલ છે ત્યાં મજૂરી કામ કરતી અને રહેતી એંજેલબેન સિકંદરભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતાં મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો હતો અને તેને સંતાન ન હતું હાલમાં પરણિતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે








Latest News