મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન મોરબી મહાપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવાની માંગ


SHARE













મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવાની માંગ

મોરબી જિલ્લો બન્યો તેને ઘણો સમય થઈ ગયો છે તો પણ આજની તારીખે જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે અને મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવા માટેની માંગ કરી છે તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યાને ઘણો સમય થઇ ગયો છે. અને બીજા રાજ્યોમાંથી આવીને પણ ઘણા લોકો રોજીરોટી માટે મોરબીમાં રહે છે તેમજ કેન્દ્ર સરકારના ઘણા કર્મચારિયો, ઓફિસરો પણ અહિ નોકરી માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં જો એક કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવે તો બાળકોને અભ્યાસમાં ઘણો ફાયદો થાય તેમ છે અને જેથી કરીને મોરબીમાં એક કેન્દ્રિય વિદ્યાલયની સ્કુલ બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે.








Latest News