મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE















મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાં યુવાને પોતાના મિત્રને મકાન લેવા માટે મદદરૂપ થવા રોકડા રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા જે રકમ જરૂરિયાત હોય તેને પરત માંગતા તેના મિત્રએ ચેક આપ્યો હતો જે બેંકમાં નાખતા તે ચેક પરત ફર્યો હતો જેના લીધે ભોગ બનેલા યુવાને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કોર્ટે ડબલ રકમ નવ ટકા વ્યાજ સાથે પરત કરવા તેમજ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો રકમ ભરવામાં કશુર કરે તો વધુ ૯૦ દિવસની સજા કરી છે

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર રહેતા નુરૂદિન  શાહબુદ્દીનભાઈ રૈયાણી નામના યુવાને મિત્રતાના દાવે પોતાના મિત્ર રાહુલ રસિકભાઈ વાઘેલા રહે. વીસીપરા મોરબી વાળાને મકાન લેવા માટે રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા અને બાદમાં પોતાને જરૂર પડતાં તે રકમ તેણે પોતાના મિત્ર રાહુલ વાઘેલા પાસે પરત માંગી હતી જે રકમ માટે રાહુલભાઈ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો અને તે ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો તે બાબતે નુરુદ્દીનભાઈ રૈયાણીએ રાહુલ વાઘેલા વિરુદ્ધ કોર્ટમાં નેગોશીએબલ એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી નુરુદ્દીનભાઈના વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલોને અંતે કોર્ટ દ્વારા ઉપરોક્ત કેસમાં રાહુલ વાઘેલાને તકસીરવાન ઠેરાવવામાં આવ્યો હતો અને તેના એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલી છે તેમજ કોર્ટ દ્વારા ચેકની રકમ ૪.૯૦ લાખને બદલે ડબલ રકમ એટલે કે ૯.૮૦ લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે અને જો રકમ ચૂકવવામાં કસુર કરવામાં આવે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા કોર્ટે ફટકારી છે આ કેસમાં ફરિયાદી પક્ષેથી વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર રોકાયેલા હતા.






Latest News