મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE

















મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાં યુવાને પોતાના મિત્રને મકાન લેવા માટે મદદરૂપ થવા રોકડા રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા જે રકમ જરૂરિયાત હોય તેને પરત માંગતા તેના મિત્રએ ચેક આપ્યો હતો જે બેંકમાં નાખતા તે ચેક પરત ફર્યો હતો જેના લીધે ભોગ બનેલા યુવાને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કોર્ટે ડબલ રકમ નવ ટકા વ્યાજ સાથે પરત કરવા તેમજ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો રકમ ભરવામાં કશુર કરે તો વધુ ૯૦ દિવસની સજા કરી છે

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર રહેતા નુરૂદિન  શાહબુદ્દીનભાઈ રૈયાણી નામના યુવાને મિત્રતાના દાવે પોતાના મિત્ર રાહુલ રસિકભાઈ વાઘેલા રહે. વીસીપરા મોરબી વાળાને મકાન લેવા માટે રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા અને બાદમાં પોતાને જરૂર પડતાં તે રકમ તેણે પોતાના મિત્ર રાહુલ વાઘેલા પાસે પરત માંગી હતી જે રકમ માટે રાહુલભાઈ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો અને તે ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો તે બાબતે નુરુદ્દીનભાઈ રૈયાણીએ રાહુલ વાઘેલા વિરુદ્ધ કોર્ટમાં નેગોશીએબલ એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી નુરુદ્દીનભાઈના વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલોને અંતે કોર્ટ દ્વારા ઉપરોક્ત કેસમાં રાહુલ વાઘેલાને તકસીરવાન ઠેરાવવામાં આવ્યો હતો અને તેના એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલી છે તેમજ કોર્ટ દ્વારા ચેકની રકમ ૪.૯૦ લાખને બદલે ડબલ રકમ એટલે કે ૯.૮૦ લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે અને જો રકમ ચૂકવવામાં કસુર કરવામાં આવે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા કોર્ટે ફટકારી છે આ કેસમાં ફરિયાદી પક્ષેથી વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર રોકાયેલા હતા.




Latest News