મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE







માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

અખાત્રીજના દિવસે માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અને સમૂહલગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નકલંક ધામના મહંત દામજી ભગતરાજ્યના મંત્રી બ્રીજેશભાઈ મેરજાધારાસભ્ય લલિતભાઈ કગથરા, વેલજીભાઈ ઉઘરેજા (બોસ)જેરામભાઇ વાંસજાળિયા, ત્રંબકભાઈ પટેલ, કિશોરભાઇ ચિખલિયા, વલમજીભાઇ પટેલબેચરભાઈ હોથીગોવિંદભાઇ વરમોરા, અજયભાઇ લોરીયા સહિતના પાટીદાર સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ ડો. મનસુખભાઈકૈલાઉપપ્રમુખ મણીલાલ સરડવાજયંતિલાલ પડસુંબિયા, મંત્રી જયંતિલાલ વિડજાસહમંત્રી કમલેશભાઈ કૈલા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરાવિનોદભાઈ કૈલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News