મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

હળવદ જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં ગોઝારો અકસ્માત : દીવાલ પડતાં ૩૦ દટાયા, ૧૦ થી વધુના મોતની સંભાવના


SHARE









હળવદ જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં ગોઝારો અકસ્માત : દીવાલ પડતાં ૩૦ દટાયા, ૧૦ થી વધુના મોતની સંભાવના

મોરબી જિલ્લાના હળવદમાં આવેલી જીઆઇડીસીની અંદર મીઠાના કારખાનાની દિવાલ પડતા દિવાલ અને મીઠની થેલીઓ હેઠળ ૩૦ જેટલા મજુરો દબાયા હતા જે પૈકી દશેક લોકોના મોત નિપજ્યા હોવાનું અને અન્ય લોકોને જેસીબીની મદદથી બબાર કાઢવા શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ હળવદ જીઆઇડીસી પાસે આજે સવારે બારેક વાગ્યાના અરસામાં સાગર સોલ્ટ નામના મીઠના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન બપોરના બારેક વાગ્યાના અરસામાં કારખાનાની દીવાલ ધસી પડતાં દિવાલના કાટમાળ તેમજ મીઠાની થેલીઓ હેઠળ અંદાજે  ૩૦ જેટલા મજુરો દબાયા હતા જેથી દબાયેલા લોકોને બહાર કાઢવા માટે હીટાચી તેમજ જેસીબી મશીન દ્વારા તેઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ હતી.દરમિયાન નાની મોટી ઉમરના આશરે દશેક લોકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.કારખાનામાં મજુરો મીઠું ભરવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન યુનીટની દીવાલ કોઈ કારણોસર ધરાશાયી થઈ હતી. સંભવતઃ મીઠાની થેલીઓની થપ્પીઓ દિવાલની પાસે ઊભી કરવામાં આવેલ હોય અને તેનો લોડ વધી જવાથી આ દીવાલ ધસી પડી હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે સ્થળ ઉપર હાજર લોકો તરફથી જાણવા મળી રહ્યું છે.હાલ દીવાલના કાટમાળ અને મીઠાની થૈલીઓના કાટમાળ હેઠળ મીઠું ભરવાની કામગીરી કરી રહેલા ૩૦ જેટલા મજૂરો દબાયા હતા જેને લીધે કાટમાળ હેઠળ દબાઇ જવાથી અને મીઠાની થૈલીઓ નિચે દબાઈ જવાથી અંદાજે ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.હાલ હીટાચી અને જેસીબીની મદદથી ફસાયેલા લોકોને તેમજ મૃતકોની બોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ખુબ મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે મોરબી જીલ્લામાં આ ગોઝારી ઘટના બનતાં સમગ્ર મોરબી જીલ્લામાં આ બાબતને લઈને ચકચાર મચી ગયેલ છે.






Latest News