મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ


SHARE







મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ

મોરબી જીલ્લો બન્યાને વર્ષો વિતી ગયેલ છે પરંતુ હજુ એસટીમાં જીલ્લો બનેલ હોય જણાતુ નથી.મોરબી-૨ ખાતે આશરે દોઠેક લાખની વસ્તી રહે છે જે ને એસટીની તમામ સુવીધા મળતી નથી કે આપવામાં આવતી નથી તે નરી હકીકત છે.

કારણકે અહીં મુસાફરોને બેસવાની કે પાણી પીવાની કોઈ સુવીધા નથી..! અહીંયા દરરોજ પાંચ હજાર મુસાફરની અવરજવર છે.પરંતુ મુસાફરને એસટી બસનો આવવા જવાનો ટાઈમ જાણવા માટે કોઈ સુવીધા નથી..! અહીંયા ૩૨૦ થી પણ વધારે બસોની અવર જવર થાય છે.છતા ઘણીવાર અહીંથી મુસાફર લેવામા આવતા નથી અને અહીંયા ઉતારવામાં પણ આવતા નથી.જે મુસાફરને મોંધાદાટ ભાડા ખર્ચીને જુના બસ સ્ટેન્ડ જવુ પડે છે.નવાઈની વાત તો એ છે કે બસ અહીંયાથી નીકળે છે છતા ત્યાંથી મુસાફર લેવામા આવતા નથી.જેથી મુસાફરો પ્રાઈવેટ વાહન તરફ વળી જાય છે અને એસ.ટી.ને લાખો રૂપીયાની નુકશાની થાય છે.તેથી મોરબી-૨ હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ કેબીન ખોલવામાં આવે તો મુસાફર જનતાને લાભ મળે તેમજ એસ.ટી.ને આવક પણ વધે તેમ છે.આ બનાવવામાં કોઈ મોટો ખર્ચ નથી ફકત કંન્ટ્રોલ કેબીન મુકવાની છે જેથી મુસાફરને આવવા જવાના ટાઈમ ટેબલની ખબર પડે આ બાબતે અવાર નવાર લેખીત રજુઆતો કરેલ છે છતા કોઈના દ્રારા આ નજીવા પશ્નનો નિકાલ આવેલ નથી જેથી અહીંના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ એસટીના મેનેજીંગ ડિરેકટરને રજુઆત કરીને મુસાફરોમા હિતમાં યોગ્ય કરવા માંગ કરેલ છે.






Latest News