મોરબીના ડાયમંડનગર ગામે પ્રેમલગ્ન મુદદે યુવાનને માર મારનાર ત્રણ મહિલાઓ સહિત પાંચની ધરપકડ
મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ
SHARE









મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ
મોરબી જીલ્લો બન્યાને વર્ષો વિતી ગયેલ છે પરંતુ હજુ એસટીમાં જીલ્લો બનેલ હોય જણાતુ નથી.મોરબી-૨ ખાતે આશરે દોઠેક લાખની વસ્તી રહે છે જે ને એસટીની તમામ સુવીધા મળતી નથી કે આપવામાં આવતી નથી તે નરી હકીકત છે.
કારણકે અહીં મુસાફરોને બેસવાની કે પાણી પીવાની કોઈ સુવીધા નથી..! અહીંયા દરરોજ પાંચ હજાર મુસાફરની અવરજવર છે.પરંતુ મુસાફરને એસટી બસનો આવવા જવાનો ટાઈમ જાણવા માટે કોઈ સુવીધા નથી..! અહીંયા ૩૨૦ થી પણ વધારે બસોની અવર જવર થાય છે.છતા ઘણીવાર અહીંથી મુસાફર લેવામા આવતા નથી અને અહીંયા ઉતારવામાં પણ આવતા નથી.જે મુસાફરને મોંધાદાટ ભાડા ખર્ચીને જુના બસ સ્ટેન્ડ જવુ પડે છે.નવાઈની વાત તો એ છે કે બસ અહીંયાથી નીકળે છે છતા ત્યાંથી મુસાફર લેવામા આવતા નથી.જેથી મુસાફરો પ્રાઈવેટ વાહન તરફ વળી જાય છે અને એસ.ટી.ને લાખો રૂપીયાની નુકશાની થાય છે.તેથી મોરબી-૨ હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ કેબીન ખોલવામાં આવે તો મુસાફર જનતાને લાભ મળે તેમજ એસ.ટી.ને આવક પણ વધે તેમ છે.આ બનાવવામાં કોઈ મોટો ખર્ચ નથી ફકત કંન્ટ્રોલ કેબીન મુકવાની છે જેથી મુસાફરને આવવા જવાના ટાઈમ ટેબલની ખબર પડે આ બાબતે અવાર નવાર લેખીત રજુઆતો કરેલ છે છતા કોઈના દ્રારા આ નજીવા પશ્નનો નિકાલ આવેલ નથી જેથી અહીંના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ એસટીના મેનેજીંગ ડિરેકટરને રજુઆત કરીને મુસાફરોમા હિતમાં યોગ્ય કરવા માંગ કરેલ છે.
