લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !


SHARE

















લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !

વાંકાનેર પાલિકાના મહિલા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓ ટેક્સની આવક સહિત પાલિકામાં થતી આવકની માહિતી આપતા ન હોવાથી તેની પાસે માહિતી માંગવામાં આવી હતી અને રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી જેના વિરોધમાં હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે અને કર્મચારીઓએ ચીફ ઓફિસર માફી માંગે તેવી માંગ કરેલ છે

હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા જે હડતાળ કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ટાઉનહોલ શોપીંગ સેન્ટર ખાતે પાલિકામાં પાણીપૂરવઠાની ઓફિસ ખાતે અવાર નવાર બોલાવી કલાકથી વધારે સમય સુધી અધિકારી બેસાડી રાખે છે જેથી લોકોના કામો ખોરંભે ચડે છે, અંજલીબેન ગોહેલ, પ્રભાબેન અજાણા અને ડીંપલબેન એ. ભટ્ટને તા.૪/૫/૨૦૨૨ નાં રોજ કચેરીમાં બોલાવીને પ્રાદેશીક કમિશ્નરને પત્ર લખો કે, અમારે મુખ્ય અધિકારી તેમજ એકાઉન્ટન્ટની જરૂરીયાત નથી અન્યથા તમારૂ રાજીનામુ લખો એવુ કહ્યું હતું અને ગાળો આપી હતી, પાલિકા કચેરીનાં કર્મચારી અદિત્ય એચ. કરોતરા અને હાર્દિક એમ. સરસીયાને કચેરીમાં બોલાવીને 'તમારો કરાર આ મહિને રીન્યુ નહી કરવામાં આવે અને તમોને છુટા કરી દેવામાં આવશે’ એવી ધમકી આપેલ છે અને વારંવાર ઉચાપતનો આક્ષેપ કરીને ફોજદારી ગુન્હો દાખલ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, પાલિકાનાં કર્મચારી કમલેશભાઈ આઈ. સોલંકી, દિપકસિંહ ટી. ઝાલા, મહેશભાઈ એસ. ચૌહાણ, મયુરભાઈ આર. સોલંકીને પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપવામાં આવેલ છે તેવા આક્ષેપ સાથે પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે 

જો કે, આ મુદે પાલિકાના મહિલા ચીફ ઓફિસર તેજલ મુંધવા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, પાલિકામાં ટેક્સની આવક, જન્મ મરણ અને લગ્ન નોંધણીથી થતી આવક સહિતની આવકનો કોઈ હિસાબ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતો નથી અને લોકોના કામ કરવાના બદલે રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી અને જો હું ખોટી હોવ તો ભલેને કરે મારા ઉપરી અધિકારીને ફરિયાદ મને કોઈ વાંધો નથી પરંતુ જ્યાં સુધી વાંકાનેર પાલિકામાં છું ત્યાં સુધી પાલિકાના નાણાકીય હિસાબ યોગ્ય રીતે રાખવામા આવે અને લોકોના કામ સારી રીતે કરવામાં આવે તે જોવાની જવાબદારી મારી છે અને તે કામ મે હાલમાં કર્યું છે




Latest News