વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !


SHARE

















લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !

વાંકાનેર પાલિકાના મહિલા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓ ટેક્સની આવક સહિત પાલિકામાં થતી આવકની માહિતી આપતા ન હોવાથી તેની પાસે માહિતી માંગવામાં આવી હતી અને રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી જેના વિરોધમાં હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે અને કર્મચારીઓએ ચીફ ઓફિસર માફી માંગે તેવી માંગ કરેલ છે

હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા જે હડતાળ કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ટાઉનહોલ શોપીંગ સેન્ટર ખાતે પાલિકામાં પાણીપૂરવઠાની ઓફિસ ખાતે અવાર નવાર બોલાવી કલાકથી વધારે સમય સુધી અધિકારી બેસાડી રાખે છે જેથી લોકોના કામો ખોરંભે ચડે છે, અંજલીબેન ગોહેલ, પ્રભાબેન અજાણા અને ડીંપલબેન એ. ભટ્ટને તા.૪/૫/૨૦૨૨ નાં રોજ કચેરીમાં બોલાવીને પ્રાદેશીક કમિશ્નરને પત્ર લખો કે, અમારે મુખ્ય અધિકારી તેમજ એકાઉન્ટન્ટની જરૂરીયાત નથી અન્યથા તમારૂ રાજીનામુ લખો એવુ કહ્યું હતું અને ગાળો આપી હતી, પાલિકા કચેરીનાં કર્મચારી અદિત્ય એચ. કરોતરા અને હાર્દિક એમ. સરસીયાને કચેરીમાં બોલાવીને 'તમારો કરાર આ મહિને રીન્યુ નહી કરવામાં આવે અને તમોને છુટા કરી દેવામાં આવશે’ એવી ધમકી આપેલ છે અને વારંવાર ઉચાપતનો આક્ષેપ કરીને ફોજદારી ગુન્હો દાખલ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, પાલિકાનાં કર્મચારી કમલેશભાઈ આઈ. સોલંકી, દિપકસિંહ ટી. ઝાલા, મહેશભાઈ એસ. ચૌહાણ, મયુરભાઈ આર. સોલંકીને પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપવામાં આવેલ છે તેવા આક્ષેપ સાથે પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે 

જો કે, આ મુદે પાલિકાના મહિલા ચીફ ઓફિસર તેજલ મુંધવા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, પાલિકામાં ટેક્સની આવક, જન્મ મરણ અને લગ્ન નોંધણીથી થતી આવક સહિતની આવકનો કોઈ હિસાબ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતો નથી અને લોકોના કામ કરવાના બદલે રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી અને જો હું ખોટી હોવ તો ભલેને કરે મારા ઉપરી અધિકારીને ફરિયાદ મને કોઈ વાંધો નથી પરંતુ જ્યાં સુધી વાંકાનેર પાલિકામાં છું ત્યાં સુધી પાલિકાના નાણાકીય હિસાબ યોગ્ય રીતે રાખવામા આવે અને લોકોના કામ સારી રીતે કરવામાં આવે તે જોવાની જવાબદારી મારી છે અને તે કામ મે હાલમાં કર્યું છે




Latest News