મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ


SHARE















મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ

દર વર્ષ બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે યાત્રા બંધ હતી જો કે, આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસમાં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષની બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. અને ૨૮ જુલાઈ જમ્મુ યાત્રી નિવાસ ભગવતીપરામાં યાત્રા ઉદ્ઘાટનમાં સૌરાષ્ટ્રપ્રાંત, કર્ણાટક, જોધપુર, રાજસ્થાનના યાત્રાળુઓની ઉપસ્સ્થતિમાં યાત્રા શરૂ કરવામાં આવશે અને તા ૨૯ જમ્મુથી પ્રથમ ટુકડી બાબા બુઢા અમરનાથ યાત્રા પ્રસ્થાન કરશે.

છેલ્લા ઘણા વર્ષોથી જે યાત્રા યોજાઇ રહી છે તે આ વર્ષ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર ભારતમાં અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં યાત્રાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે આ યાત્રામાં જવા માટે રજીસ્ટરેશન શરૂ થઈ ગયું છે અને મોરબી જિલ્લા માટે રજીસ્ટ્રેશન કરવા વિશ્વ હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે (૯૫૯૫૬ ૮૮૮૮૮), બજરંગદળ જિલ્લા સંયોજક કૃષ્પભાઈ રાઠોડ (૯૬૮૭૬ ૧૮૦૦૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે આ બાબા બુઢા અમરનાથ યાત્રાના સંપર્ક  ઇન્ચાર્જ નાનજીભાઈ સાખ અને સહ યાત્રા ઇન્ચાર્જ પરેશભાઈ રાવલ છે જે સમગ્ર સૌરાષ્ટ્રના યાત્રાળુને લઈને તા. ૨૬ જુલાઈએ પ્રથમ ટુકડી અને ૨૭ જુલાઈએ  બીજી ટુકડી લઈને રાજકોટથી જમ્મુ કાશ્મીર જવા રવાના થશે.






Latest News