મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ


SHARE







મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ

દર વર્ષ બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે યાત્રા બંધ હતી જો કે, આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસમાં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષની બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. અને ૨૮ જુલાઈ જમ્મુ યાત્રી નિવાસ ભગવતીપરામાં યાત્રા ઉદ્ઘાટનમાં સૌરાષ્ટ્રપ્રાંત, કર્ણાટક, જોધપુર, રાજસ્થાનના યાત્રાળુઓની ઉપસ્સ્થતિમાં યાત્રા શરૂ કરવામાં આવશે અને તા ૨૯ જમ્મુથી પ્રથમ ટુકડી બાબા બુઢા અમરનાથ યાત્રા પ્રસ્થાન કરશે.

છેલ્લા ઘણા વર્ષોથી જે યાત્રા યોજાઇ રહી છે તે આ વર્ષ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર ભારતમાં અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં યાત્રાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે આ યાત્રામાં જવા માટે રજીસ્ટરેશન શરૂ થઈ ગયું છે અને મોરબી જિલ્લા માટે રજીસ્ટ્રેશન કરવા વિશ્વ હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે (૯૫૯૫૬ ૮૮૮૮૮), બજરંગદળ જિલ્લા સંયોજક કૃષ્પભાઈ રાઠોડ (૯૬૮૭૬ ૧૮૦૦૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે આ બાબા બુઢા અમરનાથ યાત્રાના સંપર્ક  ઇન્ચાર્જ નાનજીભાઈ સાખ અને સહ યાત્રા ઇન્ચાર્જ પરેશભાઈ રાવલ છે જે સમગ્ર સૌરાષ્ટ્રના યાત્રાળુને લઈને તા. ૨૬ જુલાઈએ પ્રથમ ટુકડી અને ૨૭ જુલાઈએ  બીજી ટુકડી લઈને રાજકોટથી જમ્મુ કાશ્મીર જવા રવાના થશે.






Latest News