મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE

















મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ કબીર પાર્ક સોસાયટીમાં રહેતાં મયુરભાઈ હસમુખભાઈ હળસોલા જાતે લુહાર (ઉમર ૨૫)એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માત

મોરબીના નવાસાદુરકા ગામે ભરતનગર નજીક રહેતા અનિલભાઈ વીરસીંગભાઇ વિંજવાડિયા નામનો એકવીસ વર્ષીય યુવાન તા.૨૪-૫ ના બપોરે દોઢેક વાગ્યાના અરસામાં જુની આરટીઓ પાસે અમરેલી ગામના પાટિયા નજીકથી ઇકો કાર લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેની ઇકો કાર છકડો રીક્ષાની સાથે અથડાઈ હતી.જેથી સર્જાયેલ અકસ્માતમાં અનિલભાઈ ઝીંઝુવાડીયાને ઈજાઓ પહોંચતા સારવારમાં આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના હજનારી ગામના રહેવાસી રાજેશભાઈ ચમનભાઈ ધંધુકિયા નામના ૧૮ વર્ષીય યુવાને તા.૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ગામમાં કોઈ અજાણી દવા પી લીધી હતી.જેથી તેને અસર થતાં અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બનાવ અંગે એન.જે.ખડિયા દ્વારા તપાસ આદરવામાં આવી છે.




Latest News