મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

રિક્ષા ચાલકની પ્રમાણિકતા : મોરબીમાં ૪૯ હજાર રોકડ ભરેલો થેલો મૂળમાલિકને શોધીને પરત કર્યો


SHARE

















રિક્ષા ચાલકની પ્રમાણિકતા : મોરબીમાં ૪૯ હજાર રોકડ ભરેલો થેલો મૂળમાલિકને શોધીને પરત કર્યો

મોરબીના રિક્ષાચાલકને પેસેન્જર તરીકે બેઠેલા યુવાનનો થૈલો મળ્યો હતો અને થૈલાની અંદર જોતા તેમાં પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને ચેકબુક તેમજ રોકડા રૂપિયા ૪૯,૦૦૦ તેમને મળી આવ્યા હતા.જોકે થૈલો ભુલી ગયેલ યુવાન કોણ હતો તેની જાણ ન થતાં અંતે થૈલામાં રહેલ પાનકાર્ડ, ચૂંટણી કાર્ડના ફોટા આધારે રીક્ષા ચાલક તથા તેના અન્ય મિત્રો દ્વારા થૈલો ભુલી જનાર યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને દરમિયાનમાં આ થૈલો જેનો હતો તે વ્યક્તિ મળી આવતાં તેને પોલીસની હાજરીમાં રોકડ રકમ ભરેલો થેલો સોંપી આપવામાં આવ્યો હતો.

મોરબીના શકત શનાળાના રહેવાસી રિક્ષાચાલક મહાવીરસિંહ વેલુભા ઝાલા રીક્ષા નંબર જીજે ૩ બીટી ૧૨૫૫ લઈને મોરબીના ઉમિયા સર્કલ પાસે ઊભા હતા.ત્યારે ઉમિયા સર્કલની પાસેથી લીલાપર રોડ ઉપરના રાધેપાર્કમાં જવા માટે એક પરપ્રાંતિય યુવાન રીક્ષામાં બેઠો હતો અને કોઈ કારણોસર તે પેસેન્જર પોતાનો થેલો રીક્ષામાં ભૂલી ગયો હતો.બાદમાં અન્ય પેસેન્જરોના ફેરા કરવા છતાં કોઈ પેસેન્જર કે રીક્ષા ચાલકનું થૈલા ઉપર ધ્યાન ગયું ન હતું.અંતે રિક્ષાચાલક મહાવીરસિંહ ઝાલાને તે થૈલો મળી આવ્યો હતો અને તેઓએ થૈલાની અંદર પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ ઉપરાંત રોકડા રૂપિયા ૪૯ હજાર હતા અને પાનકાર્ડ-ચૂંટણીકાર્ડમાં જોતા થૈલાવાળી વ્યક્તિ પ્રવેન્દ્રસિંહ કેટર્રસ વાળા આગરા (ઉત્તરપ્રદેશ) હોવાનું સામે આવ્યુ હતુ.જેથી રિક્ષાચાલક મહાવીરસિંહે પોતાના અન્ય મિત્રો ભરતસિંહ વાળા, કુલદીપસિંહ ઝાલા, જગુભા પરમાર અને ક્રિપાલસિંહ જાડેજા સહિતનાઓની મદદ લઈને આ તમામ મિત્રો દ્વારા થૈલાના મૂળ માલિકને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.તે દરમિયાનમાં તેઓ ઉમિયા સર્કલ પાસે અને લીલાપર રોડ ઉપર થૈલાના માલીકને શોધી રહ્યા હતા તે દરમિયાનમાં જેનો થૈલો ગુમ થયો હતો તે યુવાન પણ પોતાનો થૈલો શોધતો હતો અને બંને ઉમિયા સર્કલ પાસે મળી જતા મહાવીરસિંહ ઝાલા દ્વારા રોકડા રૂપિયા ૪૯ હજાર ભરેલો થેલો તેના મૂળ માલિક ઉત્તરપ્રદેશના આગ્રાના વતની અને કેટર્રસનું કામ કરતા પ્રવેન્દ્રસિંહને સોંપી દીધો હતો અને માનવતા મરી પરવારી નથી તેમ દર્શાવીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.




Latest News