લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૫૦ પેટ્રોલ પંપ ધારકો ૩૧ મીએ પેટ્રોલિયમ કંપની પાસેથી નહીં કરે પેટ્રોલ-ડિઝલની ખરીદી


SHARE

















મોરબી જિલ્લાના ૧૫૦ પેટ્રોલ પંપ ધારકો ૩૧ મીએ પેટ્રોલિયમ કંપની પાસેથી નહીં કરે પેટ્રોલ-ડિઝલની ખરીદી

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપ ધારકો દ્વારા માર્જિન વધારો કરવામાં આવે તે સહિતની જુદી જુદી માગણીઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસે કરવામાં આવી રહી છે જોકે તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી કરીને આગામી તા ૩૧ મે ના રોજ ભારતના ૧૬ રાજ્યની અંદર નો પર્ચેસ નું આયોજન કરવામાં આવ્યું છે અને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પણ તેમાં જોડાવાનું છે અને ૩૧મી તારીખે ગુજરાતના પેટ્રોલ પંપ ધારકો દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં અને મોરબી જિલ્લાના ૧૫૦ જેટલા પેટ્રોલ પંપ ધારકો પણ તેમાં જોડાવાના છે જો કે, ગ્રાહકો હેરાન ન થાય તે માટે થઈને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળે છે

 

દેશમાં પેટ્રોલ પંપ ડીલરો દ્વારા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલનું વેચાણ કરવામાં આવે છે તેના બદલામાં તેઓને મળતા માર્જિનમાં ઘટાડો થયો હોવાથી તેમને પૂરતુ વળતર મળતું ન હોવાથી માર્જિન વધારવામાં આવે તેવી માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જોકે, તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ભારત દેશના ૧૬ રાજયોમાં આગામી તા.૩૧ ના રોજ નો પર્ચેસ નું નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પણ જોડાવાનું હોય ગુજરાતની અંદર આગામી તા. ૩૧ ના રોજ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં જો કે, પેટ્રોલ અને ડિઝલના વાહનો વાપરતાં ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે નહીં તે માટે થઈને પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની મુખ્ય બે માંગણી છે જેમાં ડીલર માર્જિનમાં વધારો કરવામાં આવે તેમજ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે ત્યારે અઠવાડિયાના અંતમાં અને તહેવારના સમયમાં તેનો ઘટાડો ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે




Latest News