મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં બીપીસીએલ કંપનીના ૪૫ જેટલા પેટ્રોલ પંપ આવેલા છે અને પેટ્રોલ પંપ ધારકો દ્વારા જ્યારે માલનો ઓર્ડર આપવામાં આવે ત્યારે ઓર્ડર મુજબ માલ આપવામાં આવતો નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પોતાના પેટ્રોલ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે પેટ્રોલ પંપ ધારકો દ્વારા ગુજરાત રાજ્યના પુરવઠા મંત્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મુદ્દે આગામી દિવસોમાં અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવે તો પણ નવાઇ નથી

મોરબી જિલ્લામાં બીપીસીએલના ૪૫ જેટલા પેટ્રોલ પમ્પ આવેલા છે અને આ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પોતાના ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પૂરું પાડી શકાય તે માટે બીપીસીએલ કંપનીમાં ઓર્ડર નોંધાવવામાં આવતા હોય છે પરંતુ ઓર્ડર નોંધવામાં આવે તે મુજબ પેટ્રોલ પંપ ધારકોને પેટ્રોલ અને ડીઝલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પહોંચી શકાતું નથી જેથી કરીને મોરબીના બીપીસીએલ પેટ્રોલ પંપ ધારકો રાજ્યના પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલને આ મુદ્દે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને અત્યારે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે મુજબ બીપીસીએલ કંપનીમાં માલ લેવા માટે થઈને ઓર્ડર આપવામાં આવે છે તે મુજબ તેઓને માલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને ગ્રાહકો અને પેટ્રોલ ધારકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવે તો નવાઈ નથી






Latest News