મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં બીપીસીએલ કંપનીના ૪૫ જેટલા પેટ્રોલ પંપ આવેલા છે અને પેટ્રોલ પંપ ધારકો દ્વારા જ્યારે માલનો ઓર્ડર આપવામાં આવે ત્યારે ઓર્ડર મુજબ માલ આપવામાં આવતો નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પોતાના પેટ્રોલ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે પેટ્રોલ પંપ ધારકો દ્વારા ગુજરાત રાજ્યના પુરવઠા મંત્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મુદ્દે આગામી દિવસોમાં અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવે તો પણ નવાઇ નથી

મોરબી જિલ્લામાં બીપીસીએલના ૪૫ જેટલા પેટ્રોલ પમ્પ આવેલા છે અને આ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પોતાના ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પૂરું પાડી શકાય તે માટે બીપીસીએલ કંપનીમાં ઓર્ડર નોંધાવવામાં આવતા હોય છે પરંતુ ઓર્ડર નોંધવામાં આવે તે મુજબ પેટ્રોલ પંપ ધારકોને પેટ્રોલ અને ડીઝલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પહોંચી શકાતું નથી જેથી કરીને મોરબીના બીપીસીએલ પેટ્રોલ પંપ ધારકો રાજ્યના પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલને આ મુદ્દે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને અત્યારે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે મુજબ બીપીસીએલ કંપનીમાં માલ લેવા માટે થઈને ઓર્ડર આપવામાં આવે છે તે મુજબ તેઓને માલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને ગ્રાહકો અને પેટ્રોલ ધારકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવે તો નવાઈ નથી






Latest News