હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ


SHARE

















મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ

આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા સાથે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર જય રહી છે ત્યારે મોરબી જિલ્લાના મોરબી અને વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પહોચી હતી અને તેની સાથે આવેલ ઈસુદાન ગઢવી, કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનો પણ મોરબીના પ્રવાસે આવ્યા હતા અને ગઇકાલે મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનોએ ભાજપ અને ભાજપ  સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા

મોરબીના બાપાસિતારામ ચોકમાં કૈલાશદાન ગઢવીની જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યારે કૈલાશદાન ગઢવીએ ભાજપને આડે હાથે લીધી હતી અને છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ કૌભાંડ અને પેપર લીક થવા સહિતના મુદે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેના કૌભાંડોનો જવાબ લોકો આપવાના જ છે પરંતુ આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં જે કૌભાંડ કરીને જે ખાઈ ગયા છે તે પાછા લાવીશું તેવું પણ તેને કમિટમેંટ આપ્યું હતું આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા, મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ અને આમ આદમી પાર્ટીના સભ્ય ગિરીશભાઈ પેથાપરા, જિલ્લાના મહામંત્રી સંજયભાઇ ભટાસણા, પરેશભાઈ પરિયા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા




Latest News